SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૪પ૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હોય તે પણ તે ગુનેગાર કહેવાશે. આ પ્રમાણે વ્યવહારના કાયદાઓથી પણ જાણી શકીએ છીએ કે હત્યાનો ભાવ હેય તે જ હત્યાનું પાપ લાગે છે. મુનિરાજેનું જીવન અષ્ટપ્રવચનમાતાની આરાધનાપૂર્વકનું હોવાથી કઈ પણ જીવને મન-વચન કે કાયાથી મારવાની ભાવનાવાળા નથી હોતા. માટે ભગવંતે કહ્યું કે મુનિને પગે વિરાધને થવા છતાં પણ તેમને સાંપરાયિકી ક્રિયા નથી લાગતી. ગૃહસ્થ પણ સમ્યકત્વના પ્રકાશમાં આવી ગયા હોય તે તેના નિર્વસ પરિણામો નાબૂદ થઈ જવાના કારણે ગૃહસ્થાશ્રમની ક્રિયાઓ કરવા છતાં પાપનું બંધન બહુ જ અ૫ હેય છે અને તે પણ પ્રતિક્રમણ કર્યા પછી ખંખેરાઈ જાય છે. समदिट्ठी जोवो जइवि हु पावं समायरे किंचि । अप्पो सि होइ बद्धो जेण न निद्धंधस कुणइ ।। જૈન મુનિઓ શું બાળ છે? - તે કાળે તે સમયે રાજગૃહી નગરી હતી. ગુણશિલક નામનું સ્થાન હતું. પૃથ્વી શિલા પટ્ટક હતું. તેનાથી બહુ દૂર નહિ અને બહુ નજદીક નહિ એવા બીજા મતના અનુયાયિઓ (અન્ય યુથિક) રહેતા હતાં. તે સમયે ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા, પર્ષદા આવી, ધર્મોપદેશ થયે અને સૌ પોત પોતાને ઘેર ગયાં. તે સમયે દેવાધિદેવના મોટા શિષ્ય ગૌતમસ્વામી ઢીંચણ ઉચાં રાખીને એટલે કે બે પગ ઉપર બેઠા હતાં અને ધ્યાનસ્થ
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy