SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૮ મુંઃ ઉદ્દેશક-૧ ૪૧૩ પ્રાપ્ત કરે તે અપેક્ષાએ પ્રથમ જાણવું. અને વમન કરાયેલું સમ્યકત્વ બીજી વાર પ્રાપ્ત કરે તે અપેક્ષાએ અપ્રથમ જાણવું. એકેન્દ્રિયેને છેડી વૈમાનિક જી સુધી આ વાત જાણવી. કેમ કે તેમને સમ્યકત્વ નથી. વિકલેન્દ્રિયને સાસ્વાદ ગુણઠ્ઠાણુની અપેક્ષાએ અપર્યાપ્તાવસ્થામાં સમ્યક્ત્વ થાય છે. આ કારણે સૂત્રમાં એકેન્દ્રિયોને છોડ્યા છે. શેષ જીવે બંને છે. સિદ્ધ –સમ્યગ્દષ્ટિભાવથી પ્રથમ છે કેમ કે સિદ્ધત્વ સહચરિત્ર સમ્યગ્દર્શન, મોક્ષગમન પ્રથમ પ્રાપ્ત થાય છે. સંયતકાર-એક અને બહુવચનને આશ્રય કરી કદાચ પ્રથમ અને અપ્રથમ પણ હોય છે. બીજા અનેક જીની અપેક્ષાએ એક જીવ પ્રથમ અને અપ્રથમ હોય છે. અસંયત જીવ અપ્રથમ છે. આ પ્રમાણે સંયતાસંયત પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય એક અને બહુવચનની દૃષ્ટિએ પ્રથમ અને અપ્રથમ હોય છે. પ્રથમવાર દેશવિરતિની અપેક્ષાએ પ્રથમ અને ભવભ્રમણમાં અપ્રથમ હોય છે. એટલે કે આ ભવથી પહેલા પણ જીવે દેશવિરતિ પ્રાપ્ત કરેલી છે. કષાયદ્વાર -અનાદિ કાળથી જીવ કષાયી હોવાથી અપ્રથમ છે. જ્યારે અકષાયી જીવ યથાખ્યાત ચારિત્રની પ્રથમ પ્રાપ્તિમાં પ્રથમ છે અને બીજીવાર યથાાત ચારિત્રની અપેક્ષાએ અપ્રથમ છે. સિદ્ધના જીવે પ્રથમ છે.
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy