SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૭ મું ઉદ્દેશક-૧ ૩૮૧ પાપ મારા મન-વચન-કાયામાં કે સ્વપ્નમાં પણ ન આવે તેને માટે હું જાગૃત રહીશ અને વર્તમાન કાળમાં બધાએ પાપોના દ્વાર બંધ કરીને રહીશ, આટલું સ્વીકાર્યા પછી તે મહાવ્રતનો સ્વીકાર કરે છે અને પિતાની જાતને ભૂત–ભાવી અને વર્તમાનકાળના અનિષ્ટોમાંથી બચાવી શકે છે. આ કારણે જ જૈન મુનિના હાથ–પગ-જીભ-મસ્તિષ્ક-કર્મેન્દ્રિ અને જ્ઞાનેન્દ્રિયે સંયમિત હોય છે. ગૃહસ્થાશ્રમમાં રહેલા શ્રાવકોને માટે પણ સૌથી પહેલા માર્ગાનુસારીતા, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રતે અને ત્યાર પછી જ શિક્ષાત્રતાને ઉપદેશ કરાય છે. માટે અરિહંતના બતાવેલા માર્ગે ચાલનારે સાધક સફળ બને છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ પાપમાર્ગોને ત્યાગ કરનાર જૈન શ્રમણેને, શ્રમણીઓને ગમે તેવા મરણુન્ત પ્રસંગે પણ ઝાડ પર ચડવું નથી, પત્ર પુષ્પ તેડવા નથી, સ્પર્શવા નથી, નદી નાળા કે કાચા પાણીનો ઉપયોગ કરવો નથી, પિતાના હાથે રઈ પાણી કરવાની નથી, પોતાના માટે બનેલું ભેજન જૈન સાધુને કલ્પતું નથી. અષ્ટ પ્રવચનમાતા અને નવ બ્રહ્મવાડમાં રમણ કરનાર જૈન સાધુઓ હજારેવાર ભાવ વંદનને લાયક છે. શરીરાદિના કારણે કેટલી ક્રિયાઓ હોય? ગૌતમસ્વામી પૂછે છે કે હે દેવાધિદેવ! ઔદારિક શરીરનિર્માણ સમયમાં જીવને કેટલી ક્રિયાઓ હોય છે? જવાબમાં ભગવંતે કહ્યું કે, કદાચ ત્રણ, કદાચ અર અને કદાચ પાંચે કિયાઓ હોય છે. બહુવચનથી વાત કરીએ તે
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy