SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૩ - રહેવાની નથી, તે પાંદડાઓ ખર્યા વિના શી રીતે રહેશે ? માટે મારું કહેવું છે, ઝાડ પર ચડનારને પ્રાણાતિપાતિકી ( જીવહત્યા જીવવધ) પાપ લાગે છે, તથા તેના પરથી મોટા ફળને નીચે પાડતા ભૂમિ પર રહેલા ભૂતા-પ્રાણીઓ-જીવા અને સર્વેને પણ મર્યા વિના છુટકારો નથી. અહીં વિકલેન્દ્રિય જીવાને પ્રાણ, વનસ્પતિને ભૂત, પંચેન્દ્રિયને જીવ અને શેષ રહેલાઓને સવ કહ્યાં છે, કલ્પસૂત્રમાં ઋષભદેવ ચરિત્રમાં ઉપરથી તાડફળ પડતાં યુગળમાંથી એક પુરુષ મરી ગયા હતા. યદ્ઘિ ઉપરથી પડતા, ફેકતા, મનુષ્ય જેવા મનુષ્ય મરી જતા હાય તા કીડા, મકોડા–સાપ-વિષ્ણુ-ઉંદરડા શી રીતે ખચવાના હતાં ? તાડવૃક્ષ ઉપર ચડેલા માણસ ઝાડને હલાવે છે, પણ ફળનું પતન તે ચલાયમાન ક્રિયાની અપેક્ષા રાખ્યા વિના પેાતે જ વજનદાર હોવાથી પેાતાની મેળે પડે છે, તેવી અવસ્થામાં તે પુરુષને પહેલાની ચાર ક્રિયા જ લાગશે, કેમકે ફળ પતનમાં પોતે ( પુરુષ ) કારણભૂત નથી, પણ જે જીવેાના શરીરો વડે તાડવૃક્ષનુ નિર્માણ થાય છે, તે મૂળના, થડના, નાની મેટી ડાળ આદિના જવાને પાંચે ક્રિયાએ લાગશે, સારાંશ કે યદિપ તાડના ફળ કરતાં મૂળ-પત્ર-પુષ્પ અને થડ આદિના જીવા જૂદા છે, તે પણ એક બીજાના સહકારી અને સહુચરી હાવાથી ફળપતનની ક્રિયામાં ઝાડના બધાએ જીવાને પાંચે ક્રિયાઓના સુખ'ધ સમજી લેવા. યદ્યપિ બધાએ જીવા સાક્ષાત્ કારણભૂત નથી પરન્તુ પર પરાએ તે એક બીજા સાથે સકળાયેલા છે. તાડવ્રુક્ષ પરથી પડેલુ ફળ ઝાડ નીચે રહેલા પત્થરના થાંભલા પર પડે અને ત્યાંથી નીચે પટકાયા પછી ત્યાંના જીવાને
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy