SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૫ મું : ઉદ્દેશક-૧ આ શતકના પ્રારંભમાં ગણધર શ્રી સુધર્માસ્વામીજી પિતે “નમો જુથવાઈ મકag” આ સૂત્રથી ભગવતી શ્રુતદેવતાને નમસ્કાર કરીને કહે છે કે તે કાળ અને તે સમયમાં શ્રાવસ્તી નામે નગરી હતી, તેની બહાર અને ઉત્તર-પશ્ચિમની વચ્ચે ઈશાન ખૂણામાં કેષ્ટક નામનું ચૈત્યવાન હતું. તે નગરમાં આજીવક એટલે શાલાની ભક્તાણી હલાહલા” નામે કુંભારણ રહેતી હતી. જે ધનાઢ્ય અને કોઈનાથી પણ ગાંજી ન જાય તેવી જબરદસ્ત હતી. ગોશાળાના મતનું રહસ્ય પ્રાપ્ત થયેલી હતી અને હૃદયથી શ્રદ્ધાપૂર્વક તે સિદ્ધાંતની પ્રચારિકા હતી. ચર્ચા દ્વારા તને નિર્ણય બરાબર કરી લીધેલ હોવાથી તે કુંભારણના રેમેરોમમાં, લેહીની બુંદેબુંદમાં ગોશાળાનું તત્વજ્ઞાન વસેલું હતું. તે કાળ અને તે સમયમાં આજીવક મતના સ્થાપક અને પ્રચારક મંખલીપુત્ર–ગોશાળ ૨૪ વર્ષના દીક્ષા પર્યાય પછી આ કુંભારણની કુંભારશાળામાં આવીને પિતાના આત્માને ભાવિત કરતા રહેતાં હતાં. એક સમયે પાસસ્થા (જૈનત્વથી ભ્રષ્ટ) શાતકલંદ-કર્ણિકાર-અછિદ્ર અગ્નિવેશ્યાયનગેમાયુપુત્ર અને અર્જુન જુદી જુદી વિદ્યાઓના પારંગત હતાં. તે શાળા પાસે આવ્યા અને રહ્યા, તથા ભૌમ–આંગ-સ્વર-લક્ષણ અને વ્યંજન આદિ અષ્ટાંગ નિમિત્તો દ્વારા શાળાને જાણકારી આપી. સાથે સાથે ગીતમાર્ગ તથા નૃત્યમાર્ગના પણ તે જાણકાર હતાં. ત્યાર પછી તે ગોશાલક અષ્ટાંગ નિમિત્ત દ્વારા સાધારણ માને ખબર ન પડી શકે તે રીતે તેઓના સુખ૬ખ, લાભ-અલાભ,
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy