________________
२०६
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અને ખોટા ધંધા છેડી પણ શકતા નથી. તેઓ પોતાના ગૂઢ, મૂઢ અને ગુપ્ત હૈયામાં લક્ષ્મીદેવીના પરમપાસક હોવાથી પાકે પાયે માનીને બેઠા હોય છે કે અત્યારે તે જૂઠ-પ્રપંચ કરીને લાખો કરોડની માયા ભેગી કરી લઈએ, પછીથી કથિત અનુષ્ઠાન કરીને કરાવીને પાપ ધોઈ નાંખીશું, ઈત્યાદિ અસંખ્ય પ્રસંગે તે જીવાત્માઓમાં હોય છે.
૩. આંતર હૈયાના કેરા ધાકેર હોવાથી માયામૃષાવાદના ઝૂલણે ઝૂલનારા ઘણું ભાગ્યશાળીઓને, ધર્મને અધિકારી તથા ઠેકેદાને, રાજનૈતિકને, મિનીસ્ટરને, શ્રીમંતને તેમજ નાની મેટી સંસ્થાના સંચાલકોને આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ અથવા તેમની સાથેના વાર્તાલાપમાં આપણે અનુભવી રહ્યા હોઈએ છીએ કે તેઓ જ્યારે બેલતા હોય છે ત્યારે તેમની ભાષામાં સત્યતા પણ હતી નથી, અસત્યતા પણ હતી નથી. પરંતુ પોલીટીકલ ભાષા (માયામૃષાવાદ)ને ચકા જ હોય છે. આવા ભાગ્યશાળીઓ ટીનાપલથી ધોયેલા ઉજળાં કપડાં પહેરેલા હોવાથી જૂઠ બેલવામાં માનતા નથી, અને હૈયાના નિષ્ફર હોવાથી સત્ય બલવામાં રતિમાત્ર શ્રદ્ધા ધરાવતા નથી. માટે પોલીટીકલ ભાષાને અભ્યાસ કરીને, વધારીને આખી જિંદગી સુધી પિતાના માનેલા પોલીટીકલના ઝૂલણે ગૂલવાના નશામાં ચકનાચૂર હોય છે. પછી તે નશામાં બેભાન બનેલા તેઓ પોતાના વડીલે, ગુરુદેવ, પુત્ર, માવડી અને છેવટે ધર્મપત્ની સાથે પણ વાતેવાતે પાલિટીકલ ભાષાને ઉપયોગ કરી પિતાની જાતને ધન્ય માને છે અથવા જીવનધનને સર્વથા ધૂળધાણી કરે છે. ( ૪. અસત્યામૃષા–આ ભાષાના માલિકે ધર્મને ઊંડા