SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ શ્રમણોપાસક ધર્મ (શ્રાવક ધર્મ) સ્વીકાર્યા પછી પણ અભિજિત્ કુમાર હૃદયના પવિત્ર ભાવથી શ્રાવક ધર્મને આરાધી શક્યો નથી. માટે પ્રતિ સમયે વિરાધના વધતી ગઈ, જેમાં હૈયાની કલુષિતતા, આર્તધ્યાન, રાગ તથા ટ્રેષના ભાવે મુખ્ય હોય છે. ચંપાનગરીને ઘણા શ્રમણોપાસકો સાથે રહેવા છતાં પણ, તેમની સાથે દ્રવ્યારાધના કરતાં પણ ભાવ આરાધનાને જીવનમાં લાવી શક્યો નહિ અને પિતાપ્રત્યેનો રોષ ઓછો થયે નથી અથવા ઓછો કરવા માટે પુરૂષાર્થ પણ કરી શક્યો નથી. મોહકર્મને ઉપશમ હૈયાના કાયર કરી શકતા નથી. માટે જ “ક્ષમા વીરસ્ય ભૂષણ” કહેવાયું છે. અને દ્રવ્યથી પ્રતિકમણુ-પૌષધ-તપ-જપ કરવા છતાં પણ આવા શ્રાવકે વૈમાનિક ગતિ મેળવી શક્તા નથી. અભિજિત કુમાર અગ્નિકુમારના ભવથી ઍવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મીને મેક્ષમાં જશે. શતક ૧૩ને ઉદ્દેશ છઠ્ઠો પૂર્ણ.
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy