SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ જ્ઞાન પ્રાપ્ત થાય, જૂનાનુ પરિવર્તન થાય અને જેમ જેમ સભ્યજ્ઞાન વધે તેમ તેમ વધુ ને વધુ તત્ત્વ જિજ્ઞાસા થાય તથા તત્ત્વજ્ઞાનમાં વૃદ્ધિ થાય, જે મિથ્યાજ્ઞાનને નાશ કરવાનુ સબળ કારણ છે. સમ્યગ્દર્શન અને સમ્યક્ત્ચારિત્રને શુદ્ધતમ અનાવવા માટે સમ્યજ્ઞાનથી અતિરિક્ત એકેય બીજો માર્ગ નથી. આ ત્રીજા ભાગના પ્રારંભમાં બારમા શતકના પ્રથમ ઉદ્દે શામાં પરમાત્મા મહાવીરસ્વામીની શ્રાવસ્તી નગરીમાં પધરામણી, જીવાદિ નવ તત્ત્વાનું નિરૂપણુ, શંખ અને પુષ્કલી શ્રમણેા પાસકના અધિકાર આવે છે. લેખકે અત્રે જીવ અજીવાદિ નવે તત્ત્વાની ચર્ચા ટુંકમાં પણ મુદ્દાસરનુ વર્ણન કર્યું છે. ત્યાર બાદ યુદ્ધ જાગરિકા, અબુદ્ધ જાગરિકા તથા સુદન જાગરિકાના વર્ણનમાં કેવળજ્ઞાનીઓને પહેલી, સર્વવિરતિધરાને બીજી અને સમ્યગ્દષ્ટિ જીવાને ત્રીજી જાગરિકાનું વર્ણન છે. તે પ્રસંગે કષાયાની ભયંકરતા અને એના કટુ વિપાકનું વિવેચન અત્યંત અસરકારક, સુસ્પષ્ટ અને સુવાચ્ય શૈલીએ થયુ' છે જે હૃદયસ્પર્શી બન્યુ છે. ખીજા ઉદ્દેશામાં ઉડ્ડયન રાજાના ફઇબા શય્યાતરી શ્રીમતી જયંતી શ્રા.વકાના પ્રશ્નો પર પ્રભુએ તેના સચાટ જવાબે આપી સુદર પ્રકાશ પાથર્યાં છે. પ્રશ્નો જાણવા જેવા છે, “લદ્વા, ગહિઅટ્ઠા પુટ્ઠિા, અને વિનિચ્છિઅટ્ટા” આ વાકયો અત્રે ચરિતાર્થ થયા છે. આ રહ્યાં તેમના પ્રશ્નો જીવ ભારે શાથી મને ? તેમજ હલકે શાથી મને ? જીવાનુ` ઉંઘવું સારૂ` કે જાગવું? કોનુ` ઉંઘવું અને નુ બગવું સારૂં' ? જીવના આઠે પ્રકાર તેમજ જીવા સબળ સારા
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy