SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૩ મું ઉદ્દેશક-૧ ૧૭૩ ગ્રંથની ગાથાઓ જીભ પર ચાલતી હોવા છતાં પણ તે સાધકનાં હાથ પગ, આંખના ચાળાઓ સાથે ભાષાને વળાંક કેઈક સમયે જોવા જેવું જ હોય છે. | મહાવીરસ્વામીએ કહ્યું કે, “હે ગૌતમ! આ કારણે જ પલેશ્યા, તેજેશ્યા કે ફલલેશ્યામાં રમનાર સાધકને નિમિત્તો મળતાં કે નિમિત્તોની ઉદીર્ણના સમયમાં કૃષ્ણલેશ્યાદિ આવતાં વાર લાગતી નથી, અને કૃષ્ણદિ અશુભ લેશ્યામાં ગુલાંટ ખાતે માનવ યદિ કઈક સમયે સંત સમાગમ અથવા પ્રભુ ભક્તિમાં બેસીને મસ્ત બને છે ત્યારે તે સમયની મર્યાદા પૂરતી પણ શુદ્ધ લશ્યાને પ્રાપ્ત થતાં જ આંખના પલકારે પિતાને આવતે ભવ સુધારી લેવા સમર્થ બને છે. અહીં નરકને વિષય હોવાથી મનુષ્ય અવતારમાં રહેનારે સાધક પ્રાણાતિપાતાદિ દ્રવ્ય પાપ અને કોધાદિ ભાવપાપમાં પ્રવેશ કરતે તે સમય પૂરતી કૃષ્ણાદિ લેફ્સામાં આવીને આયુષ્યનું બંધન કરે તેના માટે નરક સિવાય બીજું સ્થાન નથી. આ કારણે જ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેવાયું છે કે, “ગૌતમ ! એ મારા દીર્ધાયુષ્યમાન્ ગૌતમ! તું એક સમય માટે પણ પ્રમાદ કરીશ નહિ.” પરમ દયાળુ ભગવાન મહાવીરસ્વામીની સૂક્ષમ અને સ્વચ્છ બુદ્ધિથી ગ્રાહ્ય પવિત્ર વાણી સાંભળીને ગૌતમ આદિ પર્વદા અતીવ પ્રસન્ન થઈ અને પિતાને સ્થાને ગઈ. આ શતક ૧૩ને પહેલે ઉદ્દેશો પૂર્ણ છે.
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy