SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ૬. તીવ્રતર કૃષ્ણલેશ્યાવાળે મરીને છઠ્ઠી નરકે જાય છે ૭. તીવ્રતમ કૃષ્ણ લેશ્યાવાળો સાતમી નરકે જાય છે. તેમ છતાં પણ જુદાં જુદાં નિમિત્તે મળતાં, મેળવતાં, જેવાતાં, અનુભવાતાં અથવા તેવા જ વાતાવરણમાં રહેતા જીવાત્માના લેણ્યા સ્થાનકે પ્રતિ સમયે બદલાતાં પણ રહેતાં હેય છે. ત્યારે જ નીલ અને કૃષ્ણ લેશ્વાના સ્વામી ચંડકૌશિક નાગરાજને મહાવીરસ્વામીના પ્રતિબંધ પછી પદ્મ લેશ્યાની ઝાંખી થતાં જ દેવલેકની પ્રાપ્તિ થઈ. પદ્મ લેશ્યાના માલિક સંગમદેવને કુતુહલના કારણે અશુભ લેસ્યા ઉદ્ભવી અને દયાના સાગર ભગવંત શ્રી મહાવીરસ્વામીને જીવલેણ ઉપસર્ગો કરવાની હીનવૃત્તિ પ્રાપ્ત થઈ. માટે આ બધી વાતને ખ્યાલ કરીને ગૌતમસ્વામીના પૂછેલા પ્રશ્નને જવાબ આપતાં ભગવંતે કહ્યું કે, “હે ગૌતમ! લેશ્યાના અધ્યવસાયેના કારણે આત્મામાં પણ શુદ્ધિ અશુદ્ધિના વિચાર આવ્યા વિના રહેતા નથી. અન્યથા પ્રસન્નચંદ્ર રાજર્ષિ સાતમી નરક સુધી શી રીતે પહોંચે ? અને પાછા કેવળજ્ઞાનના માલિક શી રીતે બન્યા? ભાવશુદ્ધિમાં મુનિરાજને ગોચરી વહેરાવતી ડોશીએ એક પછી એક દેવકને શી રીતે સર કર્યા? અને લેશ્યા બદલાતાં ડેશી પાછા શી રીતે પડ્યા? અત્યંત સમતાપ્રધાન સાધકને તમે કોઈક સમયે ક્રોધાવેશમાં જે છે? તેમનાં ફફડતા હેઠ, લાલ ટમેટા જેવી આંખે, હાથ પગમાં ચાંચલ્ય, અને વધુ આગળ વધીએ તે ચરવળાની ડાંડી જ બીજાને મારવા કે ધમકાવવા માટે કામે નથી આવતી? શિયળને જ ધન માનનાર સાધક જ્યારે રૂપાળા અને જુવાનીને ઝુલણે ઝુલતાં પાત્ર સામે આવીને ઊભાં હોય ત્યારે કર્મ
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy