SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૨ મુ' : ઉદ્દેશક-૧૦ ૧૫૭ વ્યવહાર કરવા, એટલે કે રત્નપ્રભા પૃથ્વી કથ'ચિત્ અવક્તવ્ય છે અર્થાત્ નિર'શકાળ સર્વથા નાજુક હોવાથી જે સમયે સદ્ગુરૂપ શખ્સના વ્યવહાર કરાય છે તે જ સમયે અસપ શબ્દ ખેલી શકવા માટે અતીન્દ્રિયજ્ઞાની પણ સમર્થ નથી હાતા તેા ખીજાની શી વાત કરવી? આ વાત પેાતાના આત્મવ કે અનાત્મત્વની અપેક્ષાએ જ સમજવાની છે. અર્થાત્ રત્નપ્રભા પૃથ્વી પોતાનાં ગુણ, પર્યાય કે નામની અપેક્ષાએ સદ્ રૂપ છે. પરતુ બીજી શ રા પ્રભા આદિના ગુણ પર્યાય કે નામની અપેક્ષાએ રત્નપ્રભા અસદ્ રૂપ છે. અવક્તવ્યતા એટલે રત્નપ્રભામાં અસ્તિત્વ અને નાસ્તિત્વ રૂપ બને પર્યાયાને સર્વથા અભાવ, કે અવાચ્યત્વ જ હાય છે એમ સમજવાનું નથી, પરંતુ તે મને પર્યાયે એક સમયમાં ખેલી શકાતા નથી માટે તેમના અવક્તવ્ય શબ્દથી વ્યવહાર કર્યાં છે. આ પ્રમાણે આગળ પણ સમજવું. તથા બીજી પૃથ્વી, અનુત્તર વિમાન સુધીના દેવલાક અને પુદ્ગલ માટે પણ સમજવું. દ્વિપ્રદેશિક સ્કંધ માટે નીચે પ્રમાણે છ ભાંગા ઘટાવવા. કથ'ચિત્ સત્, કથંચિત્ અસત્, કથંચિત્ અવક્તવ્ય, કથંચિત્ ઉભયાત્મક, કથંચિત્ સત્ અવક્તવ્ય, કથંચિત્ અસત્ અવક્તવ્ય જ્યારે ત્રિપ્રદેશિક માટે સાતે ભાંગા જાણવા અને મૂળસૂત્રથી વધારે જાણવા ભલામણ છે. શતક ૧૨ના દશમા ઉદ્દેશા પૂ.
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy