SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૩) વેદનાનુભવ– અત્યુત્કટ ત્રણ પ્રકારની વેદનાને ભેગવતા તે નારકને, જે આવે ખ્યાલ આવે કે, “પૂર્વભવમાં મિથ્યા મેહને વશ થઈને ભયંકરમાં ભયંકર રીતે આચરેલા, હિંસા-જૂઠ, ચેરીમિથુન–પરિગ્રહ આદિના પાપે હજારો લાખે કે કરડે છે સાથે વૈરાનુબંધ બાંધ્યા છે. માટે તે પાપોને, વિરેને ભેગવવા માટે નરકમાં ઉત્પન્ન થયે છું અને દુઃખ ભોગવી રહ્યો છું.” એમ સમજીને સાન-ભાનમાં આવેલા નારકને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે સમ્યક્ત્વ પ્રાપ્ત નારકે જ્ઞાનસ્વરૂપ હોય છે. જ્યારે તે વિનાના નારકે અજ્ઞાનમય હોવાથી ફરી ફરી કર્મો બાંધે છે, ભગવે છે અને સંસારની વૃદ્ધિ કરે છે. અસુરકુમારથી લઈ સ્વનિતકુમાર દેવે સુધી સમજવું. સ્થાનિક અનંતાનંત જે મિથ્યાદષ્ટિ હોવાથી અજ્ઞાન સ્વરૂપ જ હોય છે. કેમકે સમ્યકત્વને સાથે લઈને કેઈપણ જીવ એકેન્દ્રિયત્નને પ્રાપ્ત કરતું નથી અને ગાઢ મિથ્યાત્વના કારણે ત્યાં રહે ત્યાં સુધી સમ્યક્ત્વને પામી શકવાને નથી. કહેવાયું છે કે, “એકેન્દ્રિય છે પ્રતિપન્ન કે પ્રતિપદ્યમાન સમ્યકત્વાળા નથી હોતા.” માટે મિથ્યાત્વી હોવાને કારણે અજ્ઞાન છે, અને તેમનું અજ્ઞાન તેમના આત્માથી ભિન્ન નથી હોતું. બેઈન્દ્રિય, ત્રીરિન્દ્રિય, ચતુરિન્દ્રિય પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, વાણવ્યંતર, તિષિક અને વૈમાનિક છે પણ નારકની જેમ ક્યારેક જ્ઞાનરૂપ અને ક્યારેક અજ્ઞાનરૂપ હોય છે. દર્શન માટે ફરમાવતાં ભગવતે કહ્યું કે, “હે ગૌતમ!
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy