SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ બીજી વાત આ પ્રશ્નોત્તરથી જણાય છે કે બધાયે સર્પો નરકમાં જ જાય તેવું નથી. અર્થાત્ જંકશન સ્ટેશન પર આવવા માટે જેમ ચાર કે છ એ બાજુના રસ્તા ઉઘાડા હોય છે તેમ મનુષ્ય અવતાર પણ જંકશન છે. માટે ચારે ગતિઓના જીવે મનુષ્ય અવતાર મેળવી શકે છે. નાગનો બીજા ભવે મોક્ષ : કદાચ કોઈ પ્રશ્ન કરે કે, “દેવ સીધે મનુષ્ય અવતારમાં કેમ નથી આવતે?” તે જવાબમાં એમ કહેવાયું છે કે, જન્મ લેવામાં કોઈની શક્તિ કે ઈચ્છા કામમાં આવતી નથી. પરંતુ પિતાના ત્રાણાનુબંધ જે જે સ્થાનમાં જે જે જીવે સાથે ચુકવવાના હોય છે તથા ભવભવાંતરમાં બાંધેલા નિયાણાને વશ થઈ જીવને તે તે નિ સ્વીકારવી પડે છે. તેમાં કેઈનું કંઈ પણ ચાલી શકતું નથી. મેહનીય કર્મની સ્થિતિ લગભગ ૭૦ કડાછેડીની છે, સંભવ છે કે સર્પનિને ત્યાગ કરી મનુષ્ય અવતારમાંથી મેક્ષ મેળવનાર ભાગ્યશાળીને આત્મા બે ચાર ભામાં મોક્ષની ગ્યતાવાળાં કર્મો કદાચ બાંધ્યાં હોય પણ તે પહેલાના ભમાં સર્પનિ માટેની લાયકાત પણ નિકાચિત કરી લીધી હોય અને તે કારણથી મોક્ષગામી આત્મા પણ તેવા ભયંકર નાગના અવતારને મેળવી શકે છે. પણે નવા ચિકણાં કર્મો બાંધવાની લાયકાત તેની નષ્ટ થઈ ગઈ હોવાથી સર્ષ કે નાગ–અવતારમાં રહ્યા છતાં પણ ભયંકર કમેને બાંધ્યા વિના સીધા મનુષ્ય અવતારમાં આવે છે અને મોક્ષ મેળવે છે. ' ચરાચર સંસારનાં કર્મોને તથા જીવોની અતિઆગતિને
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy