SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧ર મું: ઉદ્દેશક-૮ બે શરીર એટલે શું? તે કાળમાં અને તે સમયમાં રાજગૃહી નામની નગરી હતી. એક દિવસ ભગવાન મહાવીર ચતુર્વિધ સંઘ સાથે વિહાર કરતાં ત્યાં પધાર્યા અને શ્રેણિક રાજા અભયકુમાર આદિ વંદન કરવા માટે આવ્યા. પ્રભુએ ઉપદેશ આપે. બારેય પર્વદા હર્ષિત થઈ પિત પિતાને ઘેર ગઈ. તે સમયે જુદા જુદા પ્રશ્નો દ્વારા જનતાને જ્ઞાન તથા ચારિત્રની પ્રાપ્તિ થાય તે ઈરાદાથી ગૌતમસ્વામીએ ભગવંતને પૂછયું કે, “હે પ્રભે! કઈક મેટી અદ્ધિવાળ, યુતિવાળો, બલિષ્ઠ, યશસ્વી તથા મહા સુખસંપન્ન દેવ પિતાના દેવભવનું આયુષ્ય પૂર્ણ કરીને તથા ચવીને બે શરીરવાળા નાગની નિ (સર્પનિ)માં અથવા હાથીરૂપે શરીર ધારણ કરી શકે છે?” (દેવકમાંથી અવી સર્પના અવતારમાં જાય અને ત્યાંથી મનુષ્યત્વ મેળવીને મેક્ષમાં જાય તેને બે શરીરી કહેવાય છે.) જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે, ગૌતમ! તે દેવ બે શરીરવાળા નાગમાં ઉત્પન્ન થઈ શકે છે.” અનંત સુખનું સ્થાન મોક્ષ મેળવવા માટે મનુષ્યભવ સિવાય બીજો એકેય ભવ નથી. હાથી ચાહે ગમે તેટલે બળવાન હોય કે સર્ષ ચાહે ગમે તેટલે ફૂર હોય, અથવા દેવલેકને દેવ પિતાની બધી શક્તિઓ કામે લગાડી દે તે પણ તેને મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. એટલે કે મક્ષ મેળવવા માટે પુણ્ય કે પાપ કામમાં આવતું નથી. પરંતુ તે બંનેને સમૂળ નાશ કર્યા પછી જ મોક્ષ મેળવી શકાય છે.
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy