SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૨ મું ઉદ્દેશક-૪ ૬૩ ત્રિપ્રદેશિક સ્કંધને ભેદ થતાં એક તરફ એક પરમાણુ અને બીજી તરફ બે પરમાણુ રૂપ બે વિભાગ અને એક એક પરમાણુરૂપ ત્રણ વિભાગ પડે છે. ચતપ્રદેશિક સ્કંધને ભેદ થાય ત્યારે તેને બે ત્રણ અને ચાર વિભાગ પડે છે. બે વિભાગમાં એક તરફ એક પરમાણુ અને બીજી તરફ ત્રિપ્રદેશિક સ્કંધ અથવા બંને તરફ ઢિપ્રદેશિક સ્કંધના બે વિભાગ. ત્રણમાં એક એક પરમાણુરૂપે બે અને બીજી તરફ દ્વિપ્રદેશિક સ્કંધ અથવા બંને તરફ ઢિપ્રદેશિક સ્કંધના બે વિભાગ. ત્રણમાં એક એક પરમાણ રૂપે બે અને બીજી તરફ ક્રિપ્રદેશિક અંધ. ચારમાં એક એક પરમાણુના ચાર વિભાગ. પંચ પ્રદેશિક સ્કંધને ૧-૪, ૨-૩, ૧-૧-૩, ૧-૨-૨, ૧-૧-૧-૨, અને ૧-૧-૧-૧-૧ આવી રીતે છે, સાત, આઠ, નવ, દશ આદિ પરમાણુ સ્કંધના વિભાગે કલ્પી લેવા. સંખ્યાત પુદ્ગલ પરમાણુને સ્કંધ જ્યારે વિભક્ત થાય છે ત્યારે બે-ત્રણ યાવત્ સંખ્યાત વિભાગમાં તે વિભક્ત થાય છે. જેમ ૧ + સંખ્યાત, ૨ + સંખ્યાત, ૧ + 1 + સંખ્યાત, ૧ + ૨ + સંખ્યાત, ૧ + ૧ + ૧ + સંખ્યાત, ૧ + ૨ + ૨ + ૩ સંખ્યાત. આ પ્રમાણે અસંખ્યાત અને અનંત પ્રદેશી સ્કંધ માટે જાણવું. જેમકે એક તરફથી લઈ સંખ્યાત પરમાણુ સ્કંધ અને બીજી તરફ બે થી લઈ સંખ્યાત પ્રદેશી ઔધ અથવા અનંત પ્રદેશી સ્કધ લે.
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy