SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કંધના વિભાગ : આપણે પહેલાં જાણી ગયા છીએ કે પરમાણુ માત્ર કારણરૂપે જ હેય છે અને સ્કંધે કારણ અને કાર્યરૂપે પણ હોય છે. ઘણુ પરમાણુઓ મળીને સ્કંધ બને છે માટે સ્કંધ કાર્ય થયું અને “મેરાવળ:” આ સૂત્રથી સ્કંધ તૂટતાં તૂટતાં પુનઃ પરમાણુ બને છે, એટલે કે પરમાણુઓ માટે સ્કંધ કારણરૂપે પણ છે. આનુષંગિક આટલી વાત જાણ્યા પછી હવે આપણે ભગવતીસૂત્રનાં મૂળ સૂત્રને તથા ટીકાકારને જાણીએ. ગૌતમસ્વામીજીએ ભગવંતને પૂછ્યું કે “હે પ્રભે ! જ્યારે બે પુદ્ગલ પરમાણુઓ ભેગા મળે છે ત્યારે તેમના સંગથી શું ઉત્પન્ન થાય છે?’ જવાબમાં પ્રભુએ કહ્યું કે “હે ગૌતમ! ભેગા મળેલા તે બંને પરમાણુઓ પિતાના પરમાણુત્વને ત્યાગીને દ્ધિપ્રદેશિક (ક્યણુક) સ્કંધરૂપે બને છે અને સંધાય છે. (આ પ્રમાણે આગળ પણ જાણી લેવું) હવે તે દ્વિપ્રદેશિક સ્કંધ નિમિત્ત મળતાં જ્યારે પાછા છૂટા પડે છે ત્યારે તેના એક ભાગમાં એક પરમાણુ અને બીજા ભાગમાં એક પરમાણુ એમ બે ભાગમાં એક એક પરમાણુ વિભક્ત થાય છે. અહીં અને આગળ પણ એટલું ધ્યાનમાં રાખવાનું કે કઈ કાળે અને કેઈની શક્તિથી પણ એક પર માણુના બે ભાગ થઈ શકતા નથી તેથી દ્વિપ્રદેશિક સ્કંધમાંથી એક તરફ ૧ પરમાણુ અને બીજી તરફ પરમાણુ વિભાગ સર્વથા અશક્ય છે, કેમકે પરમાણુ પોતે જ અવિભાજ્ય હોવાથી આદિ, મધ્ય કે અંતમાં તે પોતે જ છે અર્થાત્ પરમાણુ કેઈની આદિમાં, મધ્યમાં કે અંતમાં નથી. આ કારણે જ પરમાણુને હું છે કે આદિ ભેદ હોઈ શકતા નથી.
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy