________________
શતક ૧૨ મું : ઉદ્દેશક-૩
શ્રેણિકનું વર્ણન :
ઇતિહાસના પાને વંચાય છે કે કૃષ્ણ રાજાની દ્વારિકાને તથા રાવણ રાજાની સુવર્ણમયી લંકાને પેાતાનાથી ચઢિયાતી બીજી એકેય નગરી ન હેાવાના કારણે સીમાતીત ગવ હતા. પણ મગધ દેશના રાજા શ્રેણિકની રાજગૃહી નગરીને જોયા પછી લાજની મારી દ્વારિકા સમુદ્રમાં ડૂબી અને લંકા બળીને ખાખ થઈ ગઈ. અને બિચારી દેવાની અમરાવતી તે શરમની મારી સ્વર્ગમાં જઇને રહી. એવી મગધ દેશની રાજધાની રાજગૃહી અદ્વિતીય હતી. ત્યાં શ્રેણિક નામે રાજા હૅતા. ઔપપાતિક સૂત્ર પ્રમાણે તે ઘણા જ રૂપાળા હતા, તેની જીભ સાકર જેવી મીઠી હતી, તરવાર યમરાજાની જીભ જેવી હતી. એક આંખમાં જૈન શાસનના રંગ ભર્યાં હતા ત્યારે ત્રીજી આંખમાં જૈનત્વના વિરાધીઓને પરાસ્ત કરવાની ઝ’ખના હતી. ભગવાન મહાવીરસ્વામીની અમૃતમયી વાણીને સાંભળવા માટે તેના કાન હુ ંમેશાં તૈયાર જ રહેતાં. પરંતુ ખીજાનાં પાપા તથા ભુંડાઇને સાંભળવા માટે તેની પાસે કાન જ ન હતા. જાણે કે સ્વામી ભાઇઓને કંઈક આપવાના જ ઇરાદાથી હાય તેમ તેના હાથ ઢીંચણુ સુધી લાંબા હતા. હાથીના ગંડસ્થળમાં મેાતી હશે કે કેમ ? તે તે પરમાત્મા જાણે, પણ આ રાજાના દાંત તે શ્વેતતામાં મેાતીઓને પણ ઝાંખા પાડે તેવા હતા. એવા આ રાજાને ઘણી રાણીઓ હતી તેમાં ચેલૈંણા રાણી મુખ્ય પટ્ટરાણી હતી.