________________
અનુભવે છે. જે સરલતાના ભાનમાં મસ્ત થાય છે તે દ્રશ્ય દેશનીય હોય છે. અને પ્રત્યેક આત્મા માટે આ ભાવ અનમેદનીય અને અનુકરણીય પણ હોય છે.
આવા વાત્સલ્યમય સરલ અને “જેન જયતિ શાસનમ ”ને જયનાદ ગુંજવતા પૂજ્ય ગુરૂદેવની નિશ્રામાં પુણ્યગે શાસનની સેવામાં સહાયક થવાનું યત્કિંચિત ભાગ્ય મળે જ તેથી અને કાર્યવ્યગ્રતાને કારણે આજે સિદ્ધપદ વિવેચન'નું સંપાદનકાર્ય પાંચ વર્ષ બાદ પૂર્ણ થાય છે. કાર્યવ્યગ્રતાની વાત સાચી હોય તે પણ આ વિશાળ કાર્ય માટે હવે પ્રમાદ ખંખેરીને બાકી રહેલ શ્રી ભગવતીજી સૂત્રના વ્યાખ્યાનના સંપાદનકાર્યને શીઘ્રતાથી પરિપૂર્ણ કરવું છે. ગુરૂકૃપા અનુકૂળ સંયોગે પ્રદાન કરશે જ એ વાત નિઃશંક છે.
સંપાદનકાર્ય અંગે “અરિહંતપદ વિવેચન માં પણ ખુલાસો કરેલ છે કે આ આખા ય પુસ્તકમાં જે શ્રેષ્ઠ છે.... મનનીય છે.આચરણીય છે તે પૂજ્ય જેનરત્ન વ્યાખ્યાનવાચસ્પતિ સ્વ. પૂ. આચાર્યદેવનું છે અને કંઈક ખલના હોય તે મારી મંદ બુદ્ધિના કારણે છે.
સંપાદનકાર્ય બાદ બનેલી પ્રેસ કોપી તીર્થપ્રભાવક પૂ. ગુરૂદેવે અતીવ વ્યગ્રતાના કાલમાં પણ વારંવાર જોયેલ છે. ફેરફાર કરવા માટે એગ્ય સૂચને પણ કરેલ છે અને અંતે તેમની જ મહનીય કૃપાથી આ કાર્ય આજે પૂર્ણ થયું છે.
ભવિષ્યમાં શીઘ્રતાથી આગળ વધાય એવા જ આશીર્વાદની અભ્યર્થના.
–રાજયશવિજય. ૫–૧-૭૬
શેરીસા.