SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધપદ ] [ ૫૯ ત્યાંના જેવું અડીં કશું હોતું નથી. જેથી તે જોતાં નરક કે સ્વર્ગની સહેલાઈથી યાદ આવે. જે કે શાસ્ત્રોના વર્ણન તો છે જ અને તેથી અવંતિસુકુમાલ જેવાને સાધુઓના મેઢેથી પાઠ કરતાં કરતાં દેવલોકનું વર્ણન સાંભળી જાતિ મરણજ્ઞાન થયું પણ આજે તમારા જેવા જેનંને ય શાસ્ત્રમાં દેવલોક કેવો છે ? કેવો વર્ણવ્યું છે તેની ખબર નથી તે બીજાને શું ખબર પડે ? તે છતાંય, એવા દાખલાઓ મળી આવે છે જ્યાં મનુષ્યોને પોતાના મનુષ્ય સિવાયના પૂર્વભવની પણ યાદ આવતી હોય ! પણ માત્ર પૂર્વજન્મથી જ આત્માની સાબિતી થાય છે તેમ નથી. બીજી પણ દલીલે છે. તરત જન્મેલ બાળકનું હાસ્ય અને રૂદન જરા વિચારો કે તરતના જન્મેલા બાળકને એ જ્ઞાન કોણે આપ્યું કે દુ:ખ આવે ત્યારે રડવું અને સુખ આવે ત્યારે હસવું ? હજી તો માતાના ગર્ભમાંથી બહાર આવીને એણે દુનિયા જોઈ નથી. તે પહેલાં આ દુનિયાના વ્યવહારનું જ્ઞાન કેવી રીતે આવ્યું ? જે જીવ પરલોકમાંથી આવ્યું છે તેમ માનીએ તો કહી શકાય કે, પૂર્વજન્મના તેના સંસ્કાર તેણે લીધાં છે અને તેથી આ જાસમાં પણ તેને યાદ છે કે દુ:ખ થાય ત્યારે રડવુ. જેથી પિતાની સંભાળ લેનાર જે હોય તેનું ધ્યાન જાય. દયા ઉપજે તેને પોતાની પ્રતિકૂળ પરિસ્થિતિનો ખ્યાલ આવે હસવાથી પિતાને કોઈ પ્રસન્નતા થઈ રહી છે
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy