SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ] [ ૪૮૧ જતા સહાય કરે છે. અનેક આત્માને મેક્ષમાં પહોંચાડવા માટે ઉપકારક બને છે. છતાં ય તેમને મોક્ષની ઈચ્છા થતી નથી. પ્રશ્ન–શું અભવ્યના આત્માઓ અનેક આત્માને મેક્ષમાં પહોંચાડવા સહાય કરે ? અને છતાં ય પોતે મોક્ષમાં ન માને ? જવાબ-હા, તેમાં કશું આશ્ચર્ય કરવા જેવું નથી. સાધુઓને ભણાવનાર કેટલાય આગ્રહી પંડિત એવા પણ હેય છે કે તેમના ભણાવવાથી અમને જેનધર્મ પર અપૂર્વ શ્રદ્ધા થાય પણ પેલાને તે વાત વાંચતા અરૂચિ વધતી જાય. બિલકુલ શ્રદ્ધા ન થાય. કેટલાક નાટકીયા-નાટક એવાં કરતાં હોય છે કે જે વાંચતા-જોતાં અનેકને વૈરાગ્ય થાય પણ નાટક કરનાર તે તેવા ને તેવા ધોયેલા મૂળા જેવા જ રહે. એટલે અભવ્યના આત્મા પોતે મેક્ષ ન માને છતાં ય અનેકને તેમાં શ્રદ્ધા કરાવી દે. અનેકને મોક્ષે મેકલી દે તે શક્ય છે. વિચાર કરતાં તે એમ પણ સમજાય છે કે કઈ પણ એક તીર્થંકર પરમાત્મા કરતાં એક અભવ્યના આત્માના પ્રબોધેલા વધુ આત્માઓ મેક્ષમાં જાય. તમને આશ્ચર્ય થાય કે તીર્થકરના આત્મા કરતાં પણ વધારે આત્માને મેક્ષમાં પહોંચાડવામાં આવ્યને આત્મા નિમિત્ત કેવી રીતે બને? પણવિંચારોકે તીર્થકરનું વધારેમાં વધારે આયુષ્ય કેટલું? ૮૪ લાખ પૂર્વનું. આનાથી મોટી વયના તીર્થકરે હોય નહીં. તેઓ પિતાના જીવનમાં ગમે તેટલાને પ્રતિબોધે પણ આયુષ્ય પુરૂં થયા બાદ તેમના પિતાના દ્વારા કે આત્માને
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy