SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ ] [ શ્રી સિદ્ધપદ મંગલ તો માત્ર અરિહ તેને નમસ્કાર દ્વારા યા કેઈ પણ તીર્થકરને નમસ્કાર દ્વારા થઈ શકત, પણ અહીં સંપૂર્ણ નમસ્કાર મહામંત્રનું ઉચ્ચારણ કરવામાં આવ્યું છે એ જ નથી બતાવતું કે પદની દૃષ્ટિએ આ પાંચે ય પદ પાંડવ જેવા છે. એક પર આવ્યું એટલે પાંચે ય પદ આવ્યા. પદની દૃષ્ટિએ પાંચે ય પદ ગરબા બળવાન છે. આ સૂચવવા જ જાણે પાંચે પાંચ પદનું ઉચ્ચારણ થયું લાગે છે. એમ પણ કેમ કલ્પના ન કરીએ કે જેમ બધા મંત્રમાં નમસ્કાર મહામંત્ર જ મંગલરૂપ છે તેમ અગ્યાર અંગમાં ભગવતીજી સૂત્ર' મહાન અંગ છે. આચારાંગ, સૂયગડાંગ, જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશા, અંતકૃતદશા, પ્રીવ્યાકરણ, વિપાકકૃત આદિ આગમ મુખ્યપણે કઈ ને કઈ એક જ અનુયાગનું યા એક જ વિષયનું પ્રધાનપણે પ્રતિપાદન કરે છે, જ્યારે ભગવતીજી સૂત્ર ચારે ચાર અનુયાગનું પ્રધાનપણે નિરૂપણ કરે છે અને તેમાં કોઈ પણ એક વિષયની મુખ્યતા નથી. સ્થાનાંગ અને સમવાયાંગ પણ ચારે ય અનુ ગેની પ્રાધાન્યપણે વિવક્ષા કરે છે. છતાં ય તેમાં સ ખ્યાના અંકાદિવડે પદાર્થોનો સંગ્રહ એ મુખ્ય હેતુ છે. વિવેચના અને ખુલાસાઓ નથી. જ્યારે ભગવતીજી સૂત્ર પ્રશ્નોત્તરરૂપ હોવાને કારણે સ્થાને સ્થાને દરેક પદાર્થોનું નિરૂપણ તેમજ ગ્ય ખુલાસાઓ તેમાં છે. આ વિષયને કેટલો ય વિચાર આપણે વિવાહ પન્નતિ” શબ્દનો અર્થ કરતાં કર્યો છે. ભગવતીજી સૂત્રનું મૂળ નામ “વિવાહ પન્નતિ” જ સૂચવે છે કે તે વિવેધતાનો ખજાનો છે. વિવાહ એટલે જ વિવિધ પ્રવાહ. આમ આ વિવિધતાદક આગમમાં પંચપરોધિ નમસ્કારરૂપે જે મંગલ થયેલ છે તે પણ શાસ્ત્રમાં પરમ પદની તમામ
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy