SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ નમો સિદ્ધાણં' પદને છઠ્ઠો અથ પંચમાંગમાં પંચપરમેષ્ઠિ નમસ્કારની મંગલમયતા * નમો સિદ્ધાણં' પદનું ઉચ્ચારણ મહામંગલ મંત્રાધરાજની અંતર્ગત મંગલ કરતાં પૂ. સુધર્માસ્વામીજી મ. કરી રહ્યા છે. સુધર્માસ્વામીજી મ. પિોતે પણ મંગલરૂપ છે અને ભગવતીજી સૂત્ર સ્વયં મંગલસ્વરૂપ છે. છતાં ય નમસ્કાર મહામંત્રથી તેઓ ખુદ મંગલ કરી રહ્યા છે, તે ખૂબ જ સૂચક છે. શાસ્ત્રથી અવિરુદ્ધ ઘણી–ઘણુ યુક્તિઓથી ખુલાસા થઈ શકે છે. ગણધર ભગવંતે મંગલ હોવા છતાં ય મંગલ કેમ કરે છે? અને ભગવતીજી સૂત્ર પોતે જ મંગલ હોવા છતાં ય તેમાં મંગલની શી જરૂર છે? એ મુદ્દાઓ તે આપણે ખૂબ ચર્ચા છે. અહીં તે એ વિચારવાનું છે કે ભગવતીજીમાં થતું મંગલ એ પંચપરમેષ્ઠિરૂપ કેમ છે? શું સુધર્માસ્વામીજી મ. ને આ પંચમાંગ છે એમ માત્ર નમસ્કાર દ્વારા જ સૂચવી દેવું છે ? આ પણ કે સુમેળ છે. બાર અંગમાં આ જ પાંચમું અંગ અને તેમાં જ પંચપરમેષ્ઠિ નમસ્કારાત્મક મંગલા આગળના ચાર અંગે માં પણ નથી; અને બાકીના અંગોમાં પણ નથી. એક માત્ર ભગવતીજી સૂત્રમાં જ ગણધર ભગવંત સુધર્માસ્વામીજી મ. આવું મહાન મંગલ કરી રહ્યા છે.
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy