SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૨ ] [ શ્રી સિદ્ધપદ તે જીવાત્મા ત્યાં બ્રહ્મની–પરમાત્માની ભક્તિ કરે છે તેમ માને છે. આ વાત ભેજમાં ઊતરે કેવી રીતે? ભકિત એ સાધ્ય નથી સાધન છે. જીવ બદ્ધદશામાં ભકિત કેળવી શકે પણ તે ભકિત દ્વારા મુક્ત થાય છે અને ત્યાં પણ એ ભકત કરે ! જે ભકિત જ એક આદર્શ ધ્યેય હોય તે સંસારિક દશાને વખોડીને-છેડીને મેક્ષમાં જવાની કશી જ આવશ્યકતા નથી. આથી રામાનુજ વગેરેના મતે મુકિત સાધનામય બને છે. સાધ્યરૂપ નથી. તેથી જ સમજવું કે જ્યાં સાધકને સાધના કરવાની હોય ત્યાં અપૂર્ણતા હોય હોય ને હાય જ ! આપણે “નમે સિદ્ધાણંથી આવા સિદ્ધોને નમસ્કાર નથી કરતા; પણ જેઓ કૃતકૃત્ય છે. જેને હવે ધર્મની કઈ સાધના બાકી નથી તે જ નિષ્ક્રિતાર્થ–કૃતકૃત્ય કહેવાય અને તેઓને જ આપણે નમસ્કાર કરીએ છીએ. “નમે સિંદ્ધા નો આ અર્થ ખૂબ સૂક્ષમતાથી વિચારશે તે આંશિક રીતે સર્વ સંવરના છેલ્લે સમયે પણ ઘટી શકે છે. કારણ કે તે વખતે આત્મા સર્વકર્મોથી મુક્ત થઈ ગયેલ છે–પરિપૂર્ણ થઈ ગયે છે તેને કેઈ સાધના બાકી રહી નથી. એટલે એક રીતે અહીં સંસારમાં રહેલા જ આત્મામાં આ અર્થ ઘટી ગયા. * સર્વ સંવરના છેલ્લે સમયે પણ વ્યાખ્યા ઘટમાન થાય છે. ” શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ તે અહીંથી કમને ક્ષય થાય તે જ સમયે આત્મા મેક્ષે પહોંચે છે. પણ વ્યવહારની અપેક્ષાએ અહીંથી સર્વ કર્મ રહિત થયા પછીના સમયે મેસે
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy