SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ] [ ૪ર૧ મુકત થયા બાદ આત્મા બ્રહ્મલેાકમાં જાય છે તેજ સાથેાકય મુકિત છે. ત્યારબાદ તે આત્મા ઈશ્વવરના સમસ્ત અશ્વ ને ભોગવવાવાળા અને છે આ મુક્તિને સાષ્ટિ મુકિત કહેવાય છે. પછી તે આત્મા જે સાક્ષાત્ બ્રહ્મ-ઇશ્વર કહેવામાં આવે છે તેની અતિ સમીપ આવે છે તે સામીપ્ય મુકિત. પછી તે આત્મા બ્રહ્મના અન્ય ગુણાની સાથે સમાનતા પ્રાપ્ત કરે છે માટે તેને સારૂપ્ય મુકિત કહેવાય છે. અને છેલ્લે બ્રહ્મના શરીરમાં પ્રવેશ કરી બ્રહ્મની સાથે એકતા પ્રાપ્ત કરે છે આને સાયુજ્ય મુક્તિ કહેવામાં આવે છે. આમ સ'સારના બંધનામાંથી મુકત થયા બાદ પણ આ ક્રમને અનુસરનારાએ આત્મામાં તફાવત સ્વીકારે છે. કેટલાક વૈષ્ણવ દના અને ખાસ કરીને કિતમાને પુષ્ટ કરતા રામાનુજ સંપ્રદાય આ મતના છે. જો કે સાલાકય મુક્તિ થયા બાદ તેને કદી બ્રહ્મલેાકમાંથી પાછું આવવાનુ નથી તે નક્કી છે. પણુ મુકત થયા બાદ પણ તેની અવસ્થાઓમાં વિકાસ માનવે ઉચિત નથી. આ માન્યતાનુ સયુકિતક ખંડન પણ ઘણી રીતે થઈ શકે છે. પરંતુ અહીં કેટલે વિસ્તાર કરવા ! એ રામાનુજ વગેરે વૈષ્ણવીય દર્શનની ખાસ બીજી વિચારણીય વાત એ છે કે તેઓ મુકત થયા બાદ બ્રહ્મના શરીરમાં પ્રવેશીને તેની સાથે એકતા સાધ્યા બાદ પણુ
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy