SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨] [ શ્રી સિદ્ધપદ કારણકે આત્મા બ્રહમાં લય થઈ જવાથી એક જ થઈ જાય તે તેને બહુયચનમાં કેવી રીતે કહી શકાય? તેથી શાસકારે બહુવચન મૂકયું છે. તેમાં ય કેટલી ખૂબી છે. એકવચન અને બહવચનમાં તો એક દર્શનને જવાબ આવી જાય. આ ઓછી ખૂબી કહેવાય ! માટે સૂત્ર બોલનારાઓએ પણ ખ્યાલ રાખવું જોઈએ. જ્યાં જોડાક્ષર હોય ત્યાં જોડાક્ષર જ્યાં હસ્વ-દીર્ઘ જેમ હેય. તેમ તેનું ઉચ્ચારણ કરવું જોઈએ. નહીં તે અર્થનો અનર્થ થઈ જાય. જ્યાં અનુસ્વાર હોય ત્યાં અનુસ્વાર અને જ્યાં અનુનાસિક હોય ત્યાં અનુનાસિકનો ઉચ્ચાર કરે જોઈએ. નહીં તે કંઈનું કંઈ થઈ જાય. એક મીંડાના ફેરફારથી? : અશોકે પિતાના પુત્ર કુણાલને દક્ષિણદેશમાં મોકલેલ હતે. એક વખત અશકે ત્યાંના મંત્રીમંડળ અને અધિકારીઓ ઉપર સંદેશ મેકલ્યો સંદેશમાં લખ્યું હતું કે પુત્ર અધીયતામ ” અર્થાત પુત્રને ભણાવજે પણ કાગળ બીડતા પહેલાં તેની પાસે ઉભેલી રાણીએ હાથમાં લીધો. તે રાણી તે અશકની હતી પણ કુણાલની તે ઓરમાન માતા હતી. એટલે તેને સળીને આંખના કાજળવાળી કરીને અધીયતામ” એ શબ્દના માત્ર પ્રથમ અક્ષર અ ઉપર એક જ ટપકું કર્યું “અધીયતામ 'ને બદલે “અંધીયતામૂ” એવું કરી નાંખ્યું. આ કામ રાણીએ એવી સિફતથી કરી દીધું હતું કે રાજા સામે બેઠે હેવા છતાં ય તેને ખબર ન પડી. તમને લાગતું હશે કે રાણીએ એમાં બીજું શું કરી દીધું હશે ? પણ કે અર્થ ફરી ગયે તે જાણે છે ? એક માત્ર અનુસ્વારથી “અધીયતામ ’ને બદલે અધીયતામ
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy