SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮] [ શ્રી સિદ્ધપદ અર્થાત્ કાર્ય અને કારણુભાવ જેનો સતત ચાલ્યા જ કરતો હોય છે. અર્થાત્ જેને કાય કારણભાવ પરસ્પર એક-બીજા પર અવલંબિત હોય છે. તે ધારા અનાદિની જ હોય છે. " કર્મના ઉદયથી રાગ-દ્વેષ અને ગની પ્રવૃત્તિ છે. અને રાગ-દ્વેષ અને ગની પ્રવૃત્તિથી જ કર્મબંધ છે. એટલે આ કાર્ય કારણભાવ પરસ્પર અવલંબિત કહેવાય. " પણ ઘડા અને દંડને કાર્ય-કારણભાવ પરસ્પરિક નથી. કારણ કે દંડથી ઘડે બને પણ ઘડે હોય તો જ દંડ બને તેવું નથી. પણ પિતા-પુત્ર, ક્ષવૃ–બીજ કુકડી–ઈડ તો અનાદિથી જ છે. અને તેથી તેમને સંબંધ પ્રણ અનાદિને જ છે. પ્રશ્ન – તો શું આત્માની સાથે ક્યારે કર્મોને સંબંધ થયે તેને કોઈ જવાબ જ નથી ? જવાબ – ના, જવાબ છે. અને તે પણ નિશ્ચિત છે કે આત્મા અને કમ બને અનાદિના છે. અને તેને સંબંધ પણ અનાદિનો જ છે. જે બે ચીજનો સંબંધ અનાદિનો હોય તે બે ચીજ પણ અનાદિની જ હોય તેમાં પૂછવા જેવું કશું છે જ નહિ. જેમ સમજે કે ઘડો અને જમીનને સંબંબ સો વર્ષ પહેલાનો છે. એમ તમને કંઈ કહે તો તમે નકકી સમજી જ શકને કે ઓછામાં ઓછું દશ વર્ષ પહેલાં તો ઘડા અને જમીનનું અસ્તિત્વ હોવું જ જોઈએ. એમ જે ચીજને સંબંધ (સગ) અતાદિને હોય તે બે ચીજ પણ આનાદિથી જ હોય તે તો સ્પષ્ટ સમજી
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy