SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના ૫૭ શુકનનું ફળ રહી જાય અને ખરાબ શબ્દનું ફળ આવી મળે. તમે કઈક કામે જતા છે અને એ વખતે અચાનક જે તમારા કાને એવા ભાવાર્થના શબ્દો પડે કે-“તારું કામ સિદ્ધ થશે” અથવા તે “તું ફાવીશ” તો એવા પ્રકારના શબ્દ એવા ભાવિના સૂચક ગણાય કે–તમે જે કામે જઈ રહ્યા છે, તે કામમાં તમે જરૂર સફળ નિવડવાના ! કઈ પણ કાર્યાર્થે જવાની વાત થાય અને તમે કહે કે- એ કાર્ય મારાથી નહિ થાય તે?” તે વસ્તુ તમારી ભાવિ નિષ્કલતાની સૂચક ગણાય. આમ શબ્દનું પણ ઘણું મહત્ત્વ છે. - આ દષ્ટિએ વિચારીએ, તો આપણને એવી કલ્પના કરવાનું મન થઈ જાય કે-ટીકાકાર મહર્ષિના હૈયામાં જે વર્ધમાનભાવ રહેશે, તે સફલ થવાને હેવાથી, તેવા જ નામથી તેમને ભગવાનને નમસ્કાર કરવાનું મન થયું. - ચાર અતિશય : ' 'હવે “ના જીવયંનાના” એમાં વર્ધમાન પૂર્વે જે શ્રી શબ્દ વાપરવામાં આવેલ છે, તે શું સૂચવે છે? એ શ્રી શબ્દ એવું સૂચન કરે છે કે-ભગવાન શ્રીયુક્ત છે. એટલે કેભગવાન શ્રી વર્ધમાનસ્વામીજી, કે જેઓ શ્રીએ કરીને યુક્ત છે, તેમને નમસ્કાર કરીને–એ પ્રમાણે ટીકાકાર મહર્ષિનું કહેવું છે. ભગવાનની શ્રી એટલે લક્ષ્મી કયી? પ્રધાન લક્ષ્મી તે કેવલજ્ઞાન જ ને ? આ રીતિએ, ટીકાકાર મહષિએ અહીં ભગવાનના સાનાતિશયને સ્પષ્ટ રૂપે જણાવ્ય; અને જ્ઞાનાતિશયને જણાવવા દ્વારા, ટીકાકાર મહર્ષિએ ભગવાનના જે ચાર મુખ્ય અતિશય ગણાય છે, તેને પણ જણાવ્યા–એમ કહી શકાય.
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy