SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ४९० શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાન જ્ઞાનને વિનયઃ જ્ઞાનીના વિનયની વાત થઈ ગઈ. હવે જ્ઞાનના વિનયની વાત કરીએ. જ્ઞાનીના વિનયમાં પણ જ્ઞાનને જ વિનય છે, પરતુ જ્ઞાનને પૃથફ વિનય પણ હોય છે. જ્ઞાનીને વિનય જ્ઞાનના અથિએ કરવાનું હોય છે, જ્યારે જ્ઞાનને વિનય તે જ્ઞાનીએ પણ કરવાનું હોય છે. જેઓ જ્ઞાનોપાર્જનને પ્રયત્ન કરી રહ્યા હોય, ભણતા હોય, તેમને બની શકતા દરેક પ્રકારે ભણવાની અનુકૂળતા કરી આપવી જોઈએ. ભણવાને માટે તેમને સારી રીતિએ શેાધીને શુદ્ધ કરેલા ગ્રન્થોનું સમર્પણ કરવું જોઈએ. સૂત્રની તથા અર્થની જે પરિપાટી હોય, તેનું તેમને પ્રદાન કરવું જોઈએ અને પ્રદાન કરાવવું જોઈએ. તેમને આહારની તેમ જ ઉપાશ્રય આદિની અનુકૂળતા પણ કરી આપવી જોઈએ. આ બધું, સાધુઓએ સાધુઓને માટે કરવાનું છે. ભણવું એ ય જ્ઞાનને વિનય છે અને ભણાવવું એ ચ જ્ઞાનને વિનય છે. ભણનારને મદદ કરવામાં પણ જ્ઞાનને વિનય છે. શ્રાવકેએ પણ જ્ઞાનનો વિનય કરવાનો હોય છે. જ્ઞાનીના વિનયની વાત એ થઈ ગઈ, તેમાં શ્રાવકે એ પણ પિતપતાને ઉચિત રીતિએ જ્ઞાની ગુરૂઓને વિનય આચરે જ જોઈએ. આ ઉપરાન્ત, જ્ઞાનને વિનય આચરવાને માટે, શ્રાવકેએ શ્રી ઉપધાન આદિ તપ કરવા અને કરાવવા પૂર્વક, શ્રાવકે જે સૂત્રોને અને જે સૂત્રાર્થોને ભણી શકે છે, તે સૂત્રોનો તથા સૂત્રાર્થોનો પિતે પણ અભ્યાસ કરવો જોઈએ અને અન્યોને પણ અભ્યાસ કરાવવો જોઈએ. સાધુઓને તેમ જ શ્રાવકેને જ્ઞાનાધ્યયન કરવામાં જે જે રીતિએ સહાયક બની શકાય તેમ
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy