SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો સૂત્રનું શ્રવણ કરાવવું, એ એવા મારા ચલાવવા બરાબર છે, માટે આ ભાવનેત્રયજ્ઞ છે. તમે જેટલા લાભ ઉઠાવા તેટલા તમને આ યજ્ઞ રૅળ્યા કહેવાય. એટલે કે–તમારે નિર્ણય કરવા જોઈએ કે હવે અમારે જ્ઞાન ચરણ રૂપ નયનયુગલવાળા બનવું છે અને એ નિર્ણયને અનુસરીને તમારે તમારા મન-વચન-કાયાના વર્તનને વળાંક આપવા જોઈએ. તમે બધા જો તમારા મન-વચન-કાયાના વર્તનને વળાંક આપીને, જ્ઞાન અને ચરણુ રૂપ નયનયુગલવાળા બનવાના પ્રયત્ન શરૂ કરી દો, તે। આ ભાવનેત્રયજ્ઞ પ્રત્યે ભાવનાશીલ જગતનું ભારે આકર્ષણ થયા વિના રહે નહિ. ૧૫–દ્રવ્ય—પર્યાય : એ દન્તમાલા : જયકુંજર જેમ નયનયુગલવાળા હોય છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્ર પૂર્ણ જ્ઞાન-ચરણ રૂપ નયનયુગલવાળું છે— આ પ્રમાણે ફરમાવ્યા બાદ, જયકુંજરની સાથે શ્રી ભગવતીજી સૂત્રની સરખામણી કરી રહેલા ટીકાકાર મહર્ષિ, તેરમા વિશેષણ દ્વારા ફરમાવે છે કે
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy