SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના ૩૩૧ ધર્મકથાનુયોગ પણ મળે, તો પણ જીવ લઘુકમ બન્યું ન હેય, તો ચરણ-કરણ કરે શું? એને જ કહેવાય કે-જીવને લઘુકમી બન્યા પછી તે ચરણ—કરણનું જ આલંબન લેવું પડશે ને? આ ઉપરાન્ત, ચરણ-કરણ તો લઘુકમિતાનું ય કારણ બને છે, ધર્મકથાનુગની પ્રાપ્તિનું ય કારણ બને છે અને કાલની પરિપકવતામાં ય સહાયક બને છે.” કઈ પણ પ્રકારના દૂષિત ભાવ વિના જ, ચરણ-કરણનગના આધારને, જીવ જ સ્વીકારી લે અને એના જ આધારને વળગી રહે, તે એને નિસ્તાર થયા વિના રહે નહિ. એનું લક્ષ્ય, ચરણ—કરણને સાધીને રૂપું ને સોનું મેળવવા દ્વારા પણ પરમ પદ રૂપ રત્નને પામવાનું હોવું જોઈએ. એ એક સાચો આધાર, બાકીના ત્રણેયને લાવી દે અને એમ જીવ સર્વ આપત્તિઓથી મુક્ત બનીને સર્વ સંપત્તિઓને સ્વામી બની જાય. કથાપ્રસંગે ય કેમ ભૂલાય છે ? એક ચરણે ઉભા રહેવાની આવડતે, તે એક હાથીને અકાલ મૃત્યુથી ઉગારી લીધું અને એના જ પ્રતાપે બે માનવજી પણ અકાલ મરણની આપત્તિમાંથી ઉગરી ગયા. નુપૂર–પંડિતાનું ઉદાહરણ, કે જે ઘણું જાણીતું છે, તેમાં આ વાત આવે છે. તમને આ વાતને ખ્યાલ છે? જેમણે નુપૂર–પંડિતાના ઉદાહરણને સાંભળ્યું કે વાંચ્યું હોય, તેમાંના ઘણાઓને પણ આ વાતને ખ્યાલ નહિ હોય. આવું કેમ બને છે, એ જાણે છે? મૂળમાંથી જ ખામી હોય છે. જ્યારે સાંભળે કે વાંચે, ત્યારે જે ધ્યાનથી સાંભળવું કે વાંચવું જોઈએ, તે ધ્યાનથી
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy