SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને. તમારી ખાણને આશ્રય મળે, તે જ એમની ખાણની કિમત છે. તમારી ખાણને આશ્રય ન મળે, તો એમની ખાણ કિંમતી છતાં પણ, એમનું કાંઈ જ સાર્થક કરી શકે તેમ નથી. એમને તે છતે ધાન્ય ભૂખે મરવા જેવું જ થાય.” સુબુદ્ધિ મંત્રીએ આ પ્રમાણે કહ્યું, એટલે એ રાજપુત્ર સમજી ગયે, રાજી રાજી થઈ ગયો અને પિતાના પિતાને માટે એને જે જે ખરાબ વિચાર આવ્યા હતા, તે બધા બદલ પશ્ચાત્તાપ કરવાની સાથે તે એમને ઉપકાર માનવા લાગે. આ વાતને સંબંધ એ છે કે-દ્રવ્યાનુયોગ એ રત્નોની ખાણ સમાન છે, ગણિતાનુગ એ સોનાની ખાણ સમાને છે, ધર્મકથાનુયોગ એ રૂપાની ખાણ સમાન છે અને ચરણ– કરણાનુગ એ લોઢાની ખાણ સમાન છે. તેઢાની ખાણ જે ચરણ-કરણાનુગ પણ, રત્નાદિકની ખાણે સમાન બાકીના ત્રણેય અનુયોગોને માટે, આધારભૂત છે. શાથી? ચરણ-કરણાનુગની પ્રવૃત્તિ વિના બીજા કોઈ પણ અનુયેગમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી. કેમ બીજા અનુયોગોમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી ? સૂત્રવાંચનને માટે, સાધુઓ જ અધિકારી. છે માટે! લાયક બનેલા સાધુઓ જ સૂત્રવાંચન કરી શકે છે. એ સિવાયના સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકે અને શ્રાવિકાઓ તે, ગ્ય બનેલા સાધુઓના શ્રીમુખેથી શ્રવણ કરવા દ્વારાએ, સઘળા અનુગમાં પ્રવૃત્તિવાળા બની શકે છે. એટલે, ચરણ -કરણાનુયેગના બળે જ, શેષ અનુગોના ગ્રહણમાં સમર્થ બની શકાય છે. ચરણ-કરણાનુયેગને આધાર લીધા વિના, બાકીના ત્રણ અનુયેગેના ગ્રહણનું સાચું સામર્થ્ય વાસ્તવિક રીતિએ પ્રાપ્ત થતું નથી.
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy