SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો અશુભ અધ્યવસાયના કારણ તરીકે વર્ણવાય. કુપાત્ર સારાને ખરાબ અને સુપાત્ર ખરાબને સારું બનાવે : એમ, આ શ્રી ભગવતીજી સૂત્રનું જે જ્ઞાનદાન રૂપ આચરણ છે, તે તે નાનાવિધ, અદ્ભુત અને પ્રવર જ છે. શ્રી ભગવતીજી સૂત્રના જ્ઞાનદાન રૂપ આચરણનું સ્વરૂપ આવું જ છે, એમ કહેવાય. આ શ્રી ભગવતીજી સૂત્રનું જ્ઞાનદાનનું આચરણ આવા સ્વરૂપવાળું હોવા છતાં પણ, નાલાયક જીવને માટે તે જ્ઞાનદાન રૂપ આચરણ તેવા ફલવાળું નિવડે નહિ અને એનાથી ઊલટા જ ફળવાળું નિવડે, તે એ ય સ્વાભાવિક છે, પણ ત્યાં સમજવું એ જોઈએ કે-દેષ વસ્તુને નથી, પણ પાત્રને છે. કુપાત્રતાને લીધે વસ્તુનું સારાપણું પણ મરી જવા પામે છે, પણ તે તે તેવા કુપાત્ર પૂરતું જ ! બાકી, સુપાત્રમાં અને સારા સંયોગે સુપાત્ર બની જાય એવા લાયક જીવમાં તે, સારી વસ્તુ સારા જ રૂપે પરિણમે છે. એથી ય આગળ વિચારે, તે એવા પણ સુપાત્ર હોય છે કે–સ્વરૂપે ખરાબ એવી પણ વસ્તુને તેઓ પોતાને માટે સારી બનાવી દેવા જેવી સુન્દર શક્તિને ધરાવતા હેય. આ રીતિએ વિવેક કરતાં આવડે, તો શ્રી ભગવતીજી સૂત્રને ભણીને કઈ ઉધું કે આડું-અવળું બેલતે હોય, તે એ કારણે શ્રી ભગવતીજી સૂત્રને દોષ દેવાનું મન થાય નહિ; અને એ વ્યક્તિ જ અતિશય નાલાયક છે–એમ સમજીને, એવા બીચારાની પણ દયાનું જ ચિન્તવન કરાય.
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy