SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ આજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના : ૨૯૭ : અને તેમના મોટા ભાઈ રાજા પ્રસન્નચન્દ્રને વૈરાગ્યવાસિત અન્ત:કરણવાળા બનાવ્યા. " એમ વૈરાગ્યવાસિત અન્ત:કરણવાળા બનેલા શ્રી પ્રસન્નચન્દ્ર, પિતાની રાજધાનીના નગર પિતનપુરમાં આવીને, પિતાના વૈરાગ્યને સ્થિર બનાવ્યું અને પિતાના બાલ્યાવસ્થાવાળા પણ પુત્રને રાજગાદી ઉપર સ્થાપિત કરીને, ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પાસે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા બાદ ઉગ્ર તપ આદરઃ શ્રી પ્રસન્નચજે, ભગવાનની પાસે દીક્ષા ગ્રહણ કર્યા બાદ, ઉગ્ર તપ આદર કર્યો હતો. પિતાનાં કઠિન એવાં પણ કર્મોની નિર્જરાને સાધવામાં જ, એ એકતાન બની ગયા હતા. એટલે એમને વૈરાગ્ય કાંઈ કાચો નહિ હતો. ઉત્કટ કેટિને વૈરાગ્ય હેવા છતાં પણ, એક નિમિત્તને પામીને, એ રાજર્ષિ મહા દુર્યાને ચડી ગયા; પરન્તુ, મુનિવેષ એમને માટે ગજબને મદદગાર નિવડ્યો. ! એક વાર રાજર્ષિ પ્રસન્નચન્દ્ર, એક જ પગના આધારે ઉભા રહીને, સ્થિરતાથી ધ્યાન રૂ૫ તપનું સેવન કરી રહ્યા હતા. તે વખતે તેઓ, એક મૂળના આધારે ઉભા રહેલા વૃક્ષ જેવા લાગતા હતા. પિતાના બને ય હાથને પણ તેઓએ ઉંચા કરી રાખ્યા હતા. જેનારને લાગે કે રાજર્ષિ પોતાના અને હાથથી શ્રી સિદ્ધિગતિનું આકર્ષણ પિતાના તરફ કરી રહ્યા છે. એક પગના આધારે અને બન્ને ય હાથને ઉંચા કરીને ધ્યાનમાં ઉભેલા એ રાજર્ષિએ, પિતાનાં બન્ને ય નેત્રને સૂર્યના બિઓ ઉપર સ્થાપિત કર્યા હતાં. તમે આરીસામાં
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy