SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યા શ્રી પ્રસન્નચને શાથી દીક્ષા લીધી? આપણી વાત તે એ હતી કે જેમને આવાં સંસ્કારી માતા-પિતા મળ્યાં હોય, તે સારા નિવડે એ સ્વાભાવિક છે. આ માતા-પિતાને ઓળખીએ, તો એ વિચાર પણ ન આવે કે–શ્રી પ્રસન્નચન્દ્ર નાની વયના પુત્રને રાજગાદી ઉપર સ્થાપિત કરીને દીક્ષા કેમ લીધી હશે? ઊલટું, એ વિચાર આવે કે–આવાં સંસ્કારી માતા-પિતાને પુત્ર, સંયોગવશાત્ નાની વયના પણ પુત્રને રાજગાદી ઉપર સ્થાપીને દીક્ષા લે, એમાં નવાઈ પામવા જેવું કાંઈ છે જ નહિ. શ્રી પ્રસન્નચન્દ્ર શાથી દીક્ષા લીધી હતી, એટલે કેક્યા નિમિત્તે લીધી હતી, તે જાણે છે? તેમની માતા સગર્ભાવસ્થામાં જ પિતાના પતિ રાજા સેમચન્દ્રની સાથે વનમાં ગઈ હતી. ત્યાં તેણુએ પુત્રને જન્મ આપ્યા હતા. એ પુત્ર કેવી રીતિએ મેટો થયે, કેવા પ્રકારે તેનું જંગલમાંથી નગર તરફ આકર્ષણ કરવામાં આવ્યું અને પછી પાછો તે કેમ જંગલમાં પિતાની પાસે ગયે, એ વિગેરે વાતોને તે, અહીં પ્રસંગ નહિ હોવાથી છોડી દઈએ છીએ, પરતુ શ્રી પ્રસન્નચન્દ્ર રાજાના એ વલ્કલચીરી નામના નાના ભાઈને, પિતાનાં તાપસપણાનાં ઉપકરણોને સાફ કરતાં, જાતિ સ્મરણ જ્ઞાન થયું અને એથી પૂર્વભવમાં જે ચારિત્ર પાળેલું તે યાદ આવ્યું. એ ઉપરથી, તેઓ એવા ધ્યાનારૂઢ બની ગયા કે ત્યાં ને ત્યાં જ તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. કેવલજ્ઞાની બનેલા શ્રી વલ્લકચીરીએ ઉપદેશ આપીને, તેમના પિતા શ્રી સોમચન્દ્રને તાપસમાંથી જૈન મુનિ બનાવ્યા
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy