SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને એવું બોલ્યા કે સમજાય જ નહિ.” આ શું થયું? વ્યાખ્યાન થયું, પણ વ્યાખ્યાનને હેતુ બર આવ્યું નહિ. એ તે શ્રાવકે મર્યાદાવાળા છે, એટલે “બહુ વિદ્વાન” કહે છે, બાકી તો અક્કલ વગરના છે”—એમ ના કહે? જેમને સંભળાવવાને બેઠા, તેમને જ સમજાય નહિ, તે સંભળાવ્યું શા કામનું? આ વિશેષણ સુત્ર પ્રત્યે આકર્ષણ કરનાર છેઃ જે લોકે લિષ્ટ પદપદ્ધતિવાળા હોય છે, તેઓનું કથન કર્ણપ્રિય બની શકતું નથી અને લલિત પદપદ્ધતિવાળાઓનું કથન કર્ણપ્રિય બને છે. એટલે લલિત પદપદ્ધતિ પણ ગુણકારી છે. લલિત પદપદ્ધતિ ગુણકારી છે, માટે જ અહીં ટીકાકાર મહર્ષિએ એ વાતનું સૂચન કર્યું છે અને લલિત પદપદ્ધતિ એ પ્રથમ આવશ્યક વસ્તુ હોવાથી, એને જ પહેલા વિશેષણમાં નિર્દેશ કર્યો છે. આ વિશેષણ દ્વારા પણ, ટીકાકાર મહર્ષિએ, આ શ્રી ભગવતીજી સૂત્ર પ્રત્યે વાંચકેનું અને શ્રોતાઓનું આકર્ષણ કર્યું છે. આ વિશેષણને જાણતાં, વાંચકોને અને શ્રોતાઓને એમ થાય કે-આ સૂત્ર મૂળ પણ વાંચવું અને સાંભળવું ગમે એવું છે.
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy