SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯: ખીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના મહાવીર પરમાત્માના શાસનમાં જે કઈ શ્રમણા થાય, તે અધા ય શ્રી સુધર્માસ્વામીજીના સંતાન રૂપ ગણાય છે. શ્રી સુધર્માંસ્વામીજીના જન્મ, કુલ્લાગ નામના સન્નિવેશમાં બ્રાહ્મણ કુળમાં થયા હતા. તેમના પિતાનું નામ ધમ્મિલ હતું અને તેમની માતાનું નામ જિદ્દલા હતું. તેએ ચૌદ વિદ્યાના પારગામી બન્યા હતા અને જેમ શ્રી ઈન્દ્રભૂતિજી પેાતાને સર્વજ્ઞ માનતા હતા, તેમ આ સુધર્માંસ્વામીજી પણ પેાતાને સર્વજ્ઞ માનતા હતા. શ્રી ઇન્દ્રભૂતિજી આદિના દીક્ષાપ્રસંગની હકીકતને તેા તમે જાણતા જ હશે. શ્રી સુધર્માંસ્વામીજી પેાતાની પચાસ વર્ષની ઉમ્મરે ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પાસે દીક્ષિત થયા હતા. તેમના દીક્ષિત થયા. ખાનૢ, ભગવાન શ્રી મહાવીર પરમાત્મા, ત્રીસ વર્ષોં જેટલા. સમય સુધી વિહરમાન રહ્યા, પણ તેટલા સમયમાં તેમને કેવલજ્ઞાન થયું નહિ. ભગવાન નિર્વાણને પામ્યા બાદ આર વષઁના સમય જતાં, શ્રી સુધર્માંસ્વામીજીને કેવલજ્ઞાન થયું. એટલે પેાતાની ઉંમરનાં ખાણું વર્ષો વ્યતીત થયે છતે,. પાંચમા ગણધરભગવાન શ્રી સુધર્માંસ્વામીજી કેવલજ્ઞાનને પામ્યા. કેવલજ્ઞાનને પામ્યા બાદ, એ પુણ્યપુરૂષ આઠ વર્ષ પર્યન્ત જીવ્યા . અને સે। વર્ષના આયુષ્યકર્મને ભાગવીને તેઓ મેક્ષે ગયા. અગીઆર ગણુધરામાં, સૌથી છેલ્લે શ્રી સુધર્માંસ્વામીજી મેક્ષે ગયા અને એમની જ પાટપરંપરા આજે ચાલુ છે.. આથી, પહેલાં, દ્વાદશાંગીને અર્થથી પ્રરૂપનારા ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીને નમસ્કાર કર્યા બાદ, ટીકાકાર મહિષએ, આ શ્રી ભગવતીજી સૂત્ર રૂપ પાંચમા અંગસૂત્રને ગ્રંથનારા પાંચમા ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીને નમસ્કાર કર્યાં છે..
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy