SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૩ પહેલે ભાગ–બી જિન સ્તુતિ બ્રહ્મચર્યને મહિમા આ બધે પ્રતાપ કોને? ભગવાન શ્રી જિનેશ્વરને જ, કારણ કે એ તારકેએ જ “અમર’ બનીને અમર બનવાનો માર્ગ જગતના ને બતાવ્યો છે. સમ્મરને પણ દુનિયાના અજ્ઞાન છે દેવાદિ તરીકે પૂજે છે, માટે ટીકાકાર આચાર્ય ભગવાને આ “અમ્મર વિશેષણ દ્વારા એમ સ્પષ્ટ કર્યું કે-હું જે ભગવાન શ્રી જિનેશ્વરદેવની સ્તવના કરું છું, તે સમ્મર નથી, અમર છે. પ્રભુ અમર તે છે જ, પરંતુ એવા અમ્મર છે કે બીજાઓને પણ અસ્મર બનાવીને અજરામર પદને પમાડનાર છે. જે કામરહિત ન હય, કામના કારણથી પણ જે રહિત ન હોય, તે સાચે દેવ નથી અને કામનો જે વિજેતા ન હય, કામની કામનાથી પણ જે પર ન હોય, તે સાચે ગુરૂ નથી. જે દેવ અમ્મર નહિ, તે વસ્તુતઃ દેવ નહિ. સમર દેવ ભક્તોને અસ્માર બનાવી શકે જ નહિ અને અમર બન્યા વિના કદી પણ અવ્યાબાધ સુખના ઉપાયને સેવી શકાય નહિ. અમ્મર એવા ભગવાન શ્રી જિનેશ્વરદેવને શાસનમાં બ્રહ્મચર્ય ગુણને ઘણું જ મહત્તવ અપાએલું છે. બ્રહ્મચર્ય એટલે કામને મન, વચન અને કાયાથી ત્યાગ; એથી આગળ વધીને કહીએ તે “ત્ર-શનિ સાઇન પ્રહન” એટલે કે–આત્મરમણતા એ જ બ્રહ્મચર્ય . આ, બ્રહ્મચર્યના ગુણ ગાવા બેસીએ તો પાર ન આવે. કેવલજ્ઞાની ભગવાન પણ બ્રહ્મચર્યના બધા ગુણને જાણવા છતાં ય બ્રહ્મ ચર્યના બધા ગુણોને વર્ણવી શકે નહિ. કાર? કારણ એ જ કે-મોટામાં મેટી ઉંમર પણ સંખ્યામાં વર્ષોની જ હોઈ શકે
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy