SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલા ભાગ—શ્રી જિનસ્તુતિ ૧૫ આદિ પણ અસર ઉપજાવી શકે જ નહિ, એવું માનવું જોઈએ. શ્રી સુદર્શન તે ભગવાને કહ્યું છે તે મુજખ નિમિત્ત કારણેાની અસરને પણ માનતા જ હતા અને એથી જ એમણે કપિલાની કપટજાળમાંથી છૂટીને પેાતાને ઘેર આવ્યા ભાઇ, તરત જ એવા અભિગ્રહ કરી લીધા કે હવેથી એકલા ફાઈને ઘેર જઈશ નહિ.' કપિલાવાળા બનાવને બન્યાને કેટલાક દિવસ પસાર થઈ ગયા. એ વિષે શ્રી સુદર્શને કોઈને કાંઈ કહ્યું નહિ અને કપિલા તે એ વાત ઉચ્ચારી શકે એવું હતું જ નહિ; પણ *પિલાના મનમાં તેા એ વાત રહી જ ગઈ હતી. એક વાર એવું બન્યું કે-રાજાએ વસન્ત ઋતુમાં વસન્તાત્સવ ચેાજ્યા. એ વસન્તાન્સવમાં નગરજનોએ પણ જવાનું હતું. વસન્તાત્સવમાં જવાને માટે, શ્રી સુદર્શનની ધર્મ પત્ની મનોરમા પણુ, પેાતાના છ પુત્રાની સાથે ઘેરથી નીકળી. રસ્તામાં મનોરમાને પોતાના પુત્ર સહિત જતી કપિલાએ જોઈ. કપિલા પુરેાહિતપત્ની હતી, એટલે રાજરાણી અભયાની સાથે જ રથમાં બેસીને તે પણ વસન્તાત્સવમાં જતી હતી. મનોરમાનો અને શ્રી સુદર્શનના પુત્રોનો દેખાવ, પહેરવેશ આફ્રિ ધ્યાન ખેંચે એવાં હતાં. કપિલા મનોરમાને ઓળખતી નહેાતી, પરન્તુ મનોરમાને છ છેકરાઓની સાથે જોઈ ને, એ કાણુ છે એ જાણવાનું એના મનમાં કૌતુક જાગ્યું. કપિલાએ રાણી અભયાને પૂછ્યુ કે—આ સ્ત્રી કાણુ છે? અને આ કાના પુત્રો છે?’ અભયા રાણી કહે છે કે-‘તૂ' આળખતી નથી ? સુદર્શન
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy