SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ -- - શ્રી ભગવતી સૂગનાં વ્યાખ્યાનો પિતાની વિદ્વત્તા અને પ્રતિભાના બળે, એક વિદ્વાન પુરોહિતને ત્યાં આશ્રય મેળવ્યું. ત્યવાસી આચાર્યો તરફથી ત્યાં ઉપદ્રવ આવતાં, પુરે હિતે રાજસભામાં જઈને રાજાની પાસે બધી હકીકત રજૂ કરી. ત્યવાસી આચાર્યોએ પણ રાજાને પોતાના . અધિકારની હકીકત જણાવી. આથી રાજાએ કેવળ ઉપધથી તે બન્ને આચાર્યોને પાટણમાં રહેવા દેવાનું જણાવ્યું અને ચૈત્યવાસી આચાર્યોએ રાજાનું તે કથન માન્ય રાખ્યું. પછી તે પુરે હિતે રાજાની પાસેથી ઉપાશ્રયને માટેની જમીન મેળવી તે મીન ઉપર ઉપાશ્રય કરાવ્યો. ત્યારથી સુવિહિત વાવ, પાટણમાં આવીને રહેવાનું ફરીથી શરૂ થયું અને વાર જે વિહારભૂમિ સુવિહિત સાધુઓને માટે વિધ્યમથી બની ગઈ હતી, તે વિહારભૂમિ આમ પુનઃ નિવિદ્ધ બની ગઈ. - એ પ્રસંગ ઉપરથી સમજી શકાય તેમ છે કે-નવાંગી ટીકાકાર જાચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજાના દાદાગુરૂ આચાર્યભગવાન શ્રીમદ્દ વર્ધમાનસૂરિજી મહારાજા, સુવિહિત મુનિમાર્ગના એવા દઢ ઉપાસક હતા કે સુવિહિત મુનિમાર્ગ નિવિન બને તેની તેમજ ભવ્યાત્માએ સુવિહિત મુનિમાર્ગથી સુપરિચિત રહે તેની પણ, તેઓશ્રીને ખૂબ જ કાળજી હતી. વળી આ પ્રસંગ ઉપરથી એ વાત પણ સમજી શકાય તેમ છે કે-શ્રી અભયદેવસૂરિજીના ગુરૂમહારાજ પણ મહા વિદ્વાન, બુદ્ધિનિધાન, પ્રતિભાસંપન્ન અને સુવિહિત મુનિમાર્ગના પાલક હેવા સાથે, સુવિહિત મુનિમાર્ગના રક્ષક પણ હતા. આવા દાદાગુરૂ અને આવા ગુરૂમહારાજની નિશ્રાને પામેલે આત્મા જે લાયકાતવાળે હોય, તો એનામાં
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy