SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યા htt આવેા વિચાર કરીને શેઠ તરત જ કપડાં પહેરીને તૈયાર થયા અને ચાલ્યા નાના ટેકરાના ઘર તરફ ! રસ્તામાં એ શેઠના અને ય માટા છોકરાઓનાં ઘરો આવતાં હતાં. એ ઢાકાએ શેઠને, પાતાના પિતાને, પેાતાના નાના ભાઈના ઘર તરફ જતા જોયા, એટલે એમના હૈયામાં ફાળ પડી. ચાક્કસ, પિતાજી પેલું બહુમૂલ્ય લાલ આપવાને માટે જ આપણા નાના ભાઈને ઘેર જાય છે' એમ એ બન્નેને લાગ્યું; કારણ કેએમણે પણ નાના ભાઈની ભલાઈની વાત સાંભળી હતી. એ અનેના હૈયામાં ઈર્ષ્યા પેઢી. લાભનું જોર વધી ગયું. લે તે પોતાના મિત્ર ક્રોધને પણ મદદમાં ખેલાબ્યા, અને ય છેક રાએ વિચારવા લાગ્યા કે-‘પિતાજીએ આપણને તે થાડુ થોડુંક જ આપ્યું છે. માટી મુડી તો તેમણે પેાતાની પાસે રાખી હતી અને તેનું લાલ લીધુ હતું. તે લાલ પિતાજી એકલા નાના ભાઈ ને આપી દે, એ કેમ ચાલે ? એણે ભલાઈનું કામ કર્યું છે, તે આપણે પણ કયાં નથી કર્યું ? આપણા કામની, આપણે પિતાજી પાસે ગયા તા ય, પિતાજીએ કદર કરી નહિ અને નાના ભાઈ ને સામેથી આપવા ચાલ્યા. જરૂર, પહેલેથી જ પિતાજીના મનમાં એમ હશે કે-બધી મુડી મારે નાના છેકરાને આપી દેવી, એટલે જ એમણે આવું કપટ કર્યું હશે. અત્યાર સુધી આપણને ખખર પડી નહિ, પણ હવે જો આપણે ભૂલ્યા, તેા મુડી ગઈ સમજો. હવે તે જે થવું હોય તે થાય, પણ દરેક ઉપાયે આપણે લાલમાં ભાગ તે લેવા, લેવા ને લેવા જ !' આવા વિચાર કરીને, શેઠના બન્ને ય દીકરાએ પશુ શેઠની પાછળ પાછળ પેાતાના નાના ભાઈને ઘેર ગયા. ૪૨૦
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy