SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ .F ; ' * કે : * કt , * * * * * પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ I ! શરાબી સિવાય કેઈને ય મારા પ્રત્યે દુમનભાવ નહોતે. આજે મારા માટે ભાગ્યોદય કે એના હૈયામાંથી પણ મારા પ્રત્યેને દુશમનભાવ નીકળી ગયે. આ એક જીવ નિરર્થક મારા નિમિત્તે પાપકર્મોને ઉપાસે હતો, તે પાપકર્મને ઉપજતાં અટકી ગયે. મારા નિમિત્તે કઈ પાપકર્મને ઉપાજો નહિં આવા વિચારમાં મશગુલ બની ગયેલા તેને તે લાલની વાત પણ યાદ આવતી નથી, જ્યારે તેને લાલ આપવાને માટે તેને પિતા ઉસુક બની રૉ છે. જેમ જેમ સમય જતે જાય છે, તેમ તેમ તેના પિતાની બેચેની વધતી જાય છે. હજી આવ્યું નહિ, હજુ આવ્યું નહિ-એમ એને થયા કરે છે. જરાક અવાજ થાય તે કલ્પના કરે છે કે-એ આવ્યો અને એને નહિ જોતાં નિરાશ થાય છે. ઘડીએ ઘડીએ બારીએ જાય છે અને રસ્તા ઉપર છેક દૂર સુધી, જ્યાં સુધી પહોંચી શકે ત્યાં સુધી નજર નાખે છે અને જૂએ છે કે-“ક્યાં ય એ આવતે દેખાય છે ખરો? આમ રાહ જોઈ જોઈને એ શેઠ થાક્યો અને આશા નહિ ફળવાથી એ શેઠની બેચેની વધી ગઈ. ત્યાં એને વિચાર આવ્યો કે - ‘એ શાને આવે? પેલા બે મોટા દીકરાએ તે આવ્યા હતા, કારણ કે-એ લાલના લાલચુ હતા. માને છે કે તે ગુણવાન છે. જેના હવામાં અપકારી ઉપર પણ ઉપકાર કરવાની જ ભાવના છે, મારવા મથનારને પણ જીવાડવાની જ ભાવના છે, તે લાલચુ હોઈ શકે નહિ. વળી તેના આવા ભલાઈના કામની જે મારે કદર કરવી હોય, તે મારે જ એને ઘેર જવું જોઈએ. કદર એને કરાવવી હોત તો એ આવત, પણ કદર કરાવવાને માટે એણે ભલાઈ કરી નથી. કદર તે મારે કરવી છે, માટે હું જ જાઉં',
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy