SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ પહલે ભાગ–શ્રી જિનસ્તુતિ Yoak શેઠ શાણે છે. પગલા ઉપરથી માણસને પારખી શકે એ હુંશીયાર છે. એ સમજી ગયા કે આ છોકરે પણ લાલને લાલચુ બનીને આવ્યું છે. શેડ એને આવેલે જોઈને કાંઈ છે નહિ, પણ પિલાએ તે આવીને બેસતાં વેંત જ પૂછયું કે-“પિતાજી! આપે સાંભળ્યું ને?” ' શેઠ કહે છે કે-“હા, ભાઈ ! બધું વિગતવાર સાંભળ્યું. શાહુકાર શાહુકારી સાચવે, એમાં નવાઈ ન કહેવાય. શાહુકારન બજારમાં શાહુકાર તરીકે બેસનારે આવી જ રીતિએ વર્તવું જોઈએ. મને તો તે એ રૂપીઆ શેડો દિવસ તારી પાસે રાખી મૂક્યા, તે ય ગમ્યું નહિ; પણ એને બોલાવીને તે એના રૂપીઆ પાછા આપી દીધા, એ બહુ સારું કર્યું. બાકી જે તું એમ માને કે તે નવાઈ કરી છે, તે જેના રૂપીઆ હતા તેને તે પાછા આપી દીધા, એમાં કશી નવાઈ કરી નથી, કે તે પ્રશંસા કરે, પણ આપણે સમજવું જોઈએ કે-આપણે અનીતિની એક પાઈ પણ પારકી સંઘરીએ, તો એથી આપણી શાહુકારીને બટ્ટો લાગે.” શેઠે આ પ્રમાણે જવાબ દીધે, એટલે લાલની ગાલને (વાતને) યાદ કરવાની તક પણ ક્યાં રહી? આ બીજા ભાઈ સાહેબ પણ પહેલા ભાઈ સાહેબની જેમ ઢીલા થઈને વીલા મુખે લાલને મેળવવાની આશાને તજીને પાછા ફર્યા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે “આપણે નશિબના ભાર આકરા ! પચીસ હજાર રૂપીઆ પણ હાથથી ગયા અને લાલ પણ જાલમાં આવ્યું નહિ ! આને બદલે જે પેલાને રૂપીઆ
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy