SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને - શ્રી કૃષ્ણ મહારાજાની ભાવના કયી હતી? એમની રાણીઓ દીકરીઓને એમની પાસે મેકલતી, ત્યારે શ્રી કૃષ્ણ મહારાજા પૂછતા કે- સ્વામિની થવું છે કે દાસી છેકરી સ્વામિની થવાનું જ કહે ને? સ્વામિની બનવાનું જ સૌને ગમે ને? દાસી બનવાનું કેઈને ગમે ખરું? એટલે જે દીકરી આવતી, તે કહેતી કે-“મારે સ્વામિની બનવું છે.” શ્રી કૃષ્ણ મહારાજા એને કહેતા કે-“જે સાચી સ્વામિની બનવું હોય, તે તું ભગવાન શ્રી નેમિનાથ સ્વામિજીને શરણે જા! ભગવાને ઉપદેશેલા સંયમની સાધનામાં તારી જીન્દગીનું સમર્પણ કરી દે! શ્રી કૃષ્ણ મહારાજાની દીકરીઓ પણ એવી ભાગ્યશાલિની હતી કે-ઝટ સમજી જતી અને જઈને સાધ્વી બની જતી! ક્ષાત્રવટ તે હતી જ, એટલે હું પાળવાને માટે પ્રાણ આપવા પડે તે પ્રાણ આપતાં પણ અચકાય નહિ અને તેમાં સારી ભવિતવ્યતા આદિના ગે સમજાઈ જતું કે સ્વામિની બનવાનો ખર ઉપાય તે આ જ છે!” સ્વામિની એટલે શું? પિતાને સૌ માને. સેવવા યોગ્ય પોતે અને દાસદાસી બધાં! સાચું સ્વામિપણું તે સંયમથી જ મળે ને? પુણ્યથી સ્વામિપણું મળે, પણ તે અલ્પકાલીન અને પછી સેવકપણું આપે એવું! સંયમના મેગે જે સ્વામિપણું મળે, તે એવું કે-કદી પણ સેવકપણું આવે નહિ ! સંયમથી મેક્ષ મળે અને જેને મોક્ષ મળે તે સદાકાળને માટે સેવવા લાયક જ બની જાય. શ્રી કૃષ્ણ મહારાજાની બધી રાણીઓને ખબર પડી ગઈ કે-જે જે રાજપુત્રીને વયસ્કા થતાં મહારાજાની પાસે મોકલીએ છીએ, તે તે રાજપુત્રીને મહારાજા “તારે
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy