SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ---- -- - પહેલે ભાગ-બી જિનસ્તુતિ દારીને અંગે સંસારને તજી શકતું ન હોય, તે તેને શું લાગે? “બાળપણમાં, આઠ વર્ષની વય થતાં સંયમને હું પામી શક્યો નહિ, તે ખરેખર છેતરાઈ ગયો ! જે હું આઠ વર્ષની વયને થતાં દીક્ષાને પામ્યું હતું, તે મારે આ ગૃહસંસારના સંચાલનના પાપમાં પડવું પડત નહિ. મારે માથે આ બધા રક્ષણ અને પિષણની જવાબદારી આવી પડત નહિ! અત્યારે મારે આ બધાની સેવા કરવી પડે છે, પણ હું જે સાધુ થયે હેત, તો મને મહા પવિત્ર એવા મુનિજનેની સેવાનો લાભ મળત! આજે મારે ફરજીયાત અસંય. મીઓના પિષણ આદિમાં મારી શક્તિઓને વ્યય કરવો પડે છે, જયારે હું જે બાલપણમાં સાધુ થઈ ગયે હેત, તે હું અત્યારે સંયમી મહાત્માઓની કર્મનિર્જરાને જ કરનારી સેવાને લાભ પામી રહ્યો હેત ! સાચા જૈનને ઘરમાં રહેવું પડયું હેય, ઘરમાં એ રહેતું હોય અને ઘરનું સંચાલન પણ કરતા હોય, પણ એને આ વિચાર તે આવ્યા કરે ને? તમને આ વિચાર આવે છે ખરે? તમને જે રત્નત્રયી એ જ એક આ ભવમાં મેળવવા ગ્યા છે અને સાધવા ચેપગ્ય છે એ વાત હૈ જચી જાય, તે તમને આ વિચાર આવ્યા વિના રહે નહિ. હવે જેના હૈયામાં આવા વિચારે રમતા હોય, તે જેનની પિતાનાં સંતાનોને માટે ભાવના કેવી હોય? હું જેમ બાલપણુમાં સંયમને નહિ પામવાથી ઠગાઈ ગયે, તેમ મારાં આ સંતાનો પણ ઠગાઈ ન જાય તે સારૂ એવી જ ને? એટલે કે-મારાં સંતાનો સંયમને પામે તો સારું, એવી ભાવના સાચા જૈનની હોય.
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy