SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ t શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ગ. ભ. શ્રી સુધર્માસ્વામીજીની જ પરંપરા ક્યા કારણે? અહીં તમે એ વાત પણ સમજી લે કે-બીજા ગણધર ભગવાનની વાત તે બાજુએ મૂકીએ, પણ પહેલા ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજીની રચેલી દ્વાદશાંગીની તથા મુનિઓમાં તેઓશ્રીની પાટ–પરંપરા નહિ ચાલતાં, પાંચમા ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજીએ રચેલી દ્વાદશાંગીની તેમજ મુનિઓમાં પણ તેઓશ્રીની જ પાટ–પરંપરા ચાલી, તેનું કારણ શું? જે કે પહેલા ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજીને પ્રભાવ ઘણે જ જબરે હતે. લબ્ધિઓના નિધાન તરીકે તે એ તારકની ખ્યાતિ છે. શ્રી અષ્ટાપદગિરિ ઉપર એ મહાકાય ગણધર ભગવાન સૂર્યના કિરણના આલમ્બન માત્રથી જ ચઢી ગયા હતા. લબ્ધિના બળે જ એ તારકે પંદરસે તાપસીને ક્ષીરાથી પારણું કરાવ્યું હતું. એક ખેડુતને જીવ, કે જેને ભગવાન શ્રી મહાવીર પરમાત્માના જીવ સાથે પૂર્વભવમાં વૈરના સંસ્કાર પડી ગયા હતા, તે જીવને પણ ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજીએ ભગવાનની આજ્ઞાથી જાતે જઈને પ્રતિબોધ પમાડયો હતે. એ જીવ ખૂદ ભગવાનથી પ્રતિબંધ પામે એ શક્ય નહેતું, પણ ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજીથી એ જીવ: પ્રતિ ધને પામ્યા અને દીક્ષિત બન્ય. એ ખેડુત દીક્ષિત બનીને ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજીની સાથે ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પાસે આવે, પણ ભગવાનનું દર્શન થતાંની સાથે જ, તેના પૂર્વભવના વિરના સંસ્કારે તાજા થઈ ગયા અને એ કારણે એ ખેડુત રજોહરણને ફેંકી દઈને
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy