SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાત પેાતાના સ્થાને આવીને એ બ્રાહ્મણે સ્નાન કરીને દેવપૂજા કરી; અને તે પછીથી તે દેવીએ આપેલા ફૂલનું ભક્ષણ કરવાને માટે બેઠો, સ્નાન કરીને દેવપૂજા કર્યા વિના ખાવું નહિ, એવા નિયમ તમારે ખરા ? સવારે ઉઠીને પહેલાં દેવને યાદ કરા કે ચહાદેવીને યાદ કરો ? ભગવાનની સ્તુતિ આદિના સ્વાધ્યાય કરા કે છાપાંઓના અભ્યાસ કરો ? દેવ-ગુરૂ-ધમ તરફનું આપણું વલણ દિવસે દિવસે કેવું બનતું જાય છે, એ વાતને લક્ષ્યમાં લેવાની જરૂર છે. ૨૦૬ દેવીએ આપેલા ફૂલનું ભક્ષણ કરવાને માટે પેલેા બ્રાહ્મગુ ખેડા તા ખરો, પણ એ જ વખતે એ બ્રાહ્મણને વિચાર આવ્યો કે મારા જેવા દરિદ્ર ભિખારી આ ફળને ખાઈને અધિક કાળ સુધી જીવે, તેા પણ તેથી ફાયદો શે! થવાના ? આ ફળને હું ન ખાઉં અને જો આ ફુલ રાજાને ખાવાને માટે આપું, તે। એથી જગતને સુખ મળે.' ન્યાયપરાયણ અને પ્રજાપાલક રાજા ઘણું જીવે, તે એ પ્રજાને સુખનું જ કારણ છે ને ? બ્રાહ્મણ છે, દરિદ્રી છે, છતાં વિચાર કેવો કરે છે? કેવળ ઉદરભરી હોત તા? એ ફળને ખાવાથી કાંઈ નહિ તેા પણ, તે વખતે એની જીભને પૂર્વે કદી નહિ કરેલે એવો સ્વાદનો અનુભવ તેા મળત જ અને પેટની એટલી ભૂખ પણ ભાગત, એટલું તેા બનવાનું નક્કી હતું ને? પણ જગતના સુખના અને વિચાર આવે છે અને એથી તે બ્રાહ્મણ સ્વાદ રવાની અને ભૂખને ભાગવાની ઈચ્છાને છેાડીને, એ ફળ રાજાને આપવાને તૈયાર થઈ જાય છે. ધારાનગરીમાં તે વખતે રાજા તરીકે ભર્તૃહરિ છે, એટલે
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy