SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલો ભાગ-શ્રી જિનસ્તુતિ ૨૭૫ તારું ભાગ્ય નથી. આમ છતાં પણ, હું તને કહું છું કે-તું સ્વસ્થ બન અને સ્વસ્થ બનીને તારે ઘેર જા. હવે તું આવે ને આ દરિદ્રીનહિ રહે. તને થોડું-ઘણું પણ ધન અવશ્ય મળશે.” આ વાત પણ સાંભળી-નહિ સાંભળી કરવા જેવી નથી. ભાગ્ય ન હોય તે પ્રસન્ન થયેલી દેવી પણ ધનવાન બનાવી શકતી નથી. ધનના પ્રયત્ન અનીતિ આદિથી ફળે છે, એમ ન માનતા. ભાગ્યને વેગ હોય તે જ અનીતિ આદિથી પણ ધનના પ્રયત્નો ફળે છે. અનીતિ આદિને આચરવાથી ધન મળતું હેત, તે આજે પ્રાયઃ કેઈધનહીન ન હેત! આજે અનીતિને સર્વથા ત્યાગી અને નીતિના જ પાલનને આગ્રહી ન જ મળે-એમ તે નહિ, પણ એવા મળવા દુર્લભ-એમ તો ખરું જ. આમ છતાં પણ, દિન-પ્રતિદિન બેકારીની અને ભૂખમરાની રાડ વધતી જાય છે. અનીતિ કરવાથી પણ ધન મળે, તે સમજે કે-ભાગ્યને વેગ હતે માટે મળ્યું અને એ પણ વિચારે કે મારું ભાગ્ય કેવું અશુભ, કે જેથી તે અનીતિ વિના ફળ્યું નહિ! પહેલાં મારી પાસે મારા એ ભાગ્યે પાપ કરાવ્યું અને પછી એ ફળ્યું ! આવા ભાગ્યને સફલ કરવા કરતાં, એની સફલતા વિના ચલાવી લેવું જ શું હું, કે જેથી ભવિષ્ય તે બગડે નહિ!” છે. ખેર, દેવીએ જ્યારે પેલા બ્રાહ્મણને તેની ભાગ્યહીનતાની વાત કહી, એટલે એ બ્રાહ્મણ સ્વસ્થ બની ગયે. જે મળે તેમાં સંતોષ માનવાને તેણે નિર્ણય કર્યો અને દેવીને નમસ્કાર કરીને તે બ્રાહ્મણ, ત્યાંથી રવાના થઈને, દેવીએ આપેલા ફલા સાથે, પિતાના સ્થાને આવ્યું.
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy