SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને આવ્યું છે. સાધુઓનું ધ્યેય માત્ર કર્મનિર્જરને જ સાધવાનું હેય; પણ સાધુઓ પુણ્યના દ્વેષી ન હેય-પુણ્યને નિષેધ કરનારા ન હોય–“અમને પુણ્યને બંધ થાઓ જ નહિ –એવી વૃત્તિવાળા પણ ન હોય. આમ છતાં પણ, સાધુઓ સમજતા જ હેય છે કે-કર્મનિજરની સાધક ક્રિયાઓ શુભ પુણ્યની સાધક પણ બને છે. ગૃહસ્થ તે પુણ્યધર્મના અથી પણ હેઈ શકે. આ બધું છતાં, શ્રી તીર્થંકર-નામકર્મની નિકાચના માટે પ્રયત્નશીલ બનવાને તે સૌને અધિકાર છે. એ પુણ્યકર્મ હેવા છતાં પણ, એ સ્વ-પરનું એકાતે ઉપકારક જ બને છે. ધર્મના ઉપદેશમાં, ધર્મના પ્રચારમાં પણ પુણ્યકર્મ સહાયક નિવડે છે. મનુષ્યભવ, આર્યદેશ, આર્યકુળ, પંચેન્દ્રિચપટુતા, આરોગ્ય અને ધર્મશ્રવણની સામગ્રી વિગેરે પુણ્યથી મળે છે અને એ બધું જ વિવેકી આત્માઓ, લઘુકમી આત્માઓને ધર્મપ્રાપ્તિ, ધર્મસાધના તથા ધર્મપ્રચારમાં સહાયક બને છે. પુણ્યના ભેગે માણસનું વચન ઉપાદેયતાને પામી શકે છે. અને એના વચનને પ્રીતિથી સાંભળવાનું મન થાય છે. વચન સુંદરમાં સુંદર કહે એવી આત્માની ઉત્તમતા પ્રાપ્ત થઈ હય, તે પણ જે તેવા પ્રકારના પુણ્યને ગ ન હોય અને પાપને ઉદય હોય, તે લોક એના સારા પણ વચનને સાંભળે નહિ. એનું વચન સારું હોય તે છતાં ય, એના પિતાના પાપોદયને કારણે, અન્યને એ કર્ણપ્રિય બનવાને બદલે કર્ણકટુ બને. પુને દ્વેષ કરનારાઓ જે વિચાર કરે, તે તેઓ પિતાના ઉન્માર્ગને પ્રચાર પણ પિતાના પૂર્વે ઉપાર્જેલા પુણ્યના બળે જ કરી શકે છે. જો પુર્યોદય ન
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy