SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન સેંકડે, હજારે, લાખે, અબજો ગુણી કિંમત ઉપજી શકે છે; તેમ ભગવાન શ્રી તીર્થંકરદેવેના આત્માઓને જ્યારે ત્યારે સામગ્રી મળે છે, ત્યારે ત્યારે તે આત્માઓની તે આત્માઓમાં રહેલી સ્વાભાવિક એવી અજોડ ગ્યતાથી, અજબ જેવી ખીલવટ થયા વિના રહેતી જ નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવના આત્માઓને પણ, પિતાપિતાના તથા પ્રશરિનાં કર્મોના વેગથી, સંસારમાં ચારે ય ગતિઓમાં અને કાલ પરિભ્રમણ કરવું પડે છે, પરંતુ જ્ઞાનિઓ કહે છે કે-એ તારકોના આત્માઓ સંસારના પરિભ્રમણમાં પણ ઉત્તમ ઉત્તમ સ્થાને પામે છે. પશુ તરીકે ઉત્પન્ન થાય તે ઉત્તમ જાતિના પશુ તરીકે અને પંખી તરીકે ઉત્પન્ન થાય તે ઉત્તમ જાતિના પંખી તરીકે ઉત્પન્ન થાય. એમ સર્વત્ર સમજી લેવાનું છે. શ્રી અરિહંતો અને અન્ય આત્માઓ વચ્ચે -સમ્યગ્દનની પ્રાપ્તિમાં પણ તફાવતઃ ભગવાન શ્રી જિનેશ્વરદેવોના આત્માઓ સમ્યગ્દર્શન રાણને પામે છે, તેમાં પણ અન્ય આત્માઓની દર્શનપ્રાપ્તિ કરતાં વિશિષ્ટતા હોય છે. એ તારકેના આત્માઓને સમ્ય-દર્શન ગુણની જે પ્રાપ્તિ થાય છે, તેમાં પણ એ તારકેની પિતાની યોગ્યતા જ પ્રધાનતા ભગવતી હોય છે. એ તારકેના આત્માઓને સમ્યગ્દર્શન ગુણની જે પ્રાપ્તિ થાય, તેમાં . સશુને સદુપદેશ સામાન્ય નિમિત્ત બને, પણ તે તેનું પ્રધાન કાર ગણાય નહિ. ગુરૂને સદુપદેશ, એ સામાન્ય નિમિત્ત અને એ તારકોની પિતાની યોગ્ય ,એ જ પ્રધાન નરણાથી
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy