SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ પહલે ભાગ-બી જિનસ્તુતિ અનાદિકાલીન છે, તેમ તથાભવ્યતા પણ અનાદિકાલીન છે. આથી જ, જ્ઞાની મહાપુરૂષે ફરમાવે છે કે ભગવાન શ્રી જિનેશ્વરના આત્માઓ, સર્વ કાલને માટે, અન્ય સર્વ આત્મઓથી ઉત્તમ જ ગણાય છે. જેમ કાચના મલને કાઢી નાખીને તેને સ્વરછ કર્યો હોય અને પેલ વિગેરે પાડીને તેને સુન્દર આકારવાળે તેમજ સુશોભિત બનાવ્યું હોય, તે પણ તેની તે કિંમત ઉપજી શકતી નથી, કે જે કિંમત ખાણમાં પડેલા અને મલથી આવરાએલા પણ સાચા મણિની ઉપજી શકે છે. જેમ ખાણમાં પડેલે અને મલયુક્ત હોવાથી મલિન એ પણ મણિ કિંમતી ગણાય છે અને સ્વચ્છ, સુશોભિત તથા સુન્દર આકારવાળે બનેલ એ પણ કાચ, પેલા મલિન મણિની અપેક્ષાએ કિંમતી ગણાતું નથી, તેમ નિગોદમાં રહેલા, પણ ભગવાન શ્રી તીર્થંકરદેવના આત્માઓ કિંમતી ગણાય છે, પરંતુ એ તારકેના આત્માઓના કરતાં અન્ય આત્માઓ 'કિંમતી ગણાતા નથી. ત્યાં કેવળ વર્તમાન સ્થિતિને જ જોવાતી નથી, પણ સ્વાભાવિક યોગ્યતાને ય જોવાય છે. એવી રીતિએ વિચારાય છે કે-જેવી અને જેટલી સામગ્રી અન્ય આત્માઓને મળી, તેવી અને તેટલી સામગ્રી જે શ્રી તીર્થકરના આત્માએને મળી હોય, તે અન્ય આત્માઓને પ્રભા કરતાં એ આત્માએની પ્રભા કેઈ ગુણી વધારે પ્રગટયા વિના રહે જ નહિ. જેમ કાચને નિર્મલ, સુશોભિત અને સુન્દર આકારવાળે બનાવવાને માટે જેટલો શ્રમ લે પડે છે, તેટલો જ શ્રમ જે જાતિવંત મણિને નિર્મલ, સુશોભિત અને સુન્દર આકારવાળો બનાવવાને માટે લેવાય, તો એ કચ કરતાં એ મણિની
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy